સુરેન્દ્રનગરમાં એસ.ટી બસચાલકે નશો કરતા મુસાફરો અધવચ્ચે રઝળ્યા હતાં. નલિયા - ભાવનગર રૂટની બસના મુસાફરો રોડ પર અટવાયા હતાં. બોરણા ગામ નજીક નશાખોર બસચાલક બસ મુકીને ફરાર થઇ ગયો હતો.
મુસાફરોએ જાણ કરાતા વૈકલ્પિક બસચાલકની વ્યવસ્થા કરવામાં આવી હતી. દારૂબંધીના કાયદાનો સરકારી કર્મચારીએ તમાસો બનાવ્યો હતો. સલામત સવારી એસ.ટી. અમારી- સૂત્રના પણ બસચાલકે જાહેરમાં ધજાગરા ઉડાવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી છે તેમછતાં ગુજરાતમાં દારૂની રેલમછેલ થયેલી ગુજરાતમાં ત્યારે સરકારના કર્મચારીઓ જ નશો કરેલી હાલતમાં જોવા મળે તે શર્મજનક ઘટના કહેવાય.
આવી જ એક ઘટના સુરેન્દ્રનગર ખાતે બની હતી. જેમાં નલિયાથી ભાવનગર તરફ જતી એક સરકારી S.T બસના ચાલકે નશો કરેલ હોવાનું માલૂમ પડતા મુસાફરનોના જીવ પડીકે બંધાયા હતા.
જો કે થોડા સમય બાદ આ બસ ચાલક નશાની હાલના બસ મુકીને ચાલ્યો જતાં મુસાફરો અધવચ્ચે અટવાઇ પડ્યા હતા. આ ઘટનાની જાણ એસ.ટી વિભાગને થતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી અન્ય બસની સગવડ કરવામાં આવી હતી અને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.