સુરતઃ દિવાળીના વેકેશન દરમિયાન ખાનગી લકઝરી બસ સંચાલકો દ્વારા મુસાફરો પાસેથી કરવામાં આવતી ઉઘાડી લૂંટ સામે સરકારી તંત્ર હરકતમાં આવી હતી. એસટી નિયામક વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી લોકો પોતાના વતન જતા હોય છે.
સુરત શહેરમાંથી ચારથી-પાંચ લાખની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ માદરે વતન જાય છે. ખાલી સુરત જ નહિ પરંતુ અમદાવાદ પંચમહાલ દાહોદ જેવા શહેરોમાંથી મુસાફરો પોતાના વતન જતા હોય છે. આ વર્ષે જીએસઆરટીસીએ ૬૦૦ જેટલી વધારાની બસો ઉપાડવાનો નિર્ણય કર્યો છે.
મહત્વનું છે કે ખાનગી બસો પોતાના મનફાવે તેવા ભાવ લે છે. ખાનગી બસો ઉઘાડી લૂંટ કરે છે. ત્યારે સરકારી બસો વધુ દોડાવવાનો નિર્ણય મુસાફરો માટે ખુશખબર સમાન છે.