રાજ્યમાં 1 જૂન એટલે આવતીકાલથી ST, AMTS અને BRTS સેવાઓ શરૂ થવા જઈ રહી છે. 60 દિવસ બાદ અમદાવાદના રસ્તાઓ પર 300થી વધુ AMTS અને 125 BRTS બસો દોડતી થશે. જો કે AMTS-BRTSની બસોમાં માત્ર 50 ટકા જ સીટીંગ રહેશે. આ બસમાં કોઈ જ ભીડ કરવા નહીં દેવાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવાશે. એક AMTSમાં 32ની કેપેસિટી છે પરંતુ 50 ટકા જ બેસવા દેવાના હોવાથી માત્ર 16 લોકો જ બેસી શકશે.
આવતીકાલથી AMTS-BRTS બસ સેવા શરૂ થશે
અમદાવાદમાં ST બસ સેવા શરૂ થશે
ડ્રાઇવર અને કંડક્ટરોએ માસ્ક ફરજિયાત પહેરવા પડશે
સમગ્ર રાજ્યમાં ST બસ સેવા શરૂ થશે. ત્યારે અમદાવાદમાં આવતીકાલથી AMTS અને BRTS સેવાઓ શરૂ થવા જઈ રહી છે. સરકારની સૂચના બાદ અમદાવાદ ડિવિઝન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ડિવિઝનની બસ ચાલુ થાય તે પહેલાં સેનેટાઈઝ કરવામાં આવી છે. તો વર્કશોપમાં બસની સાફ-સફાઈ શરૂ કરાઇ છે. જમાલપુર કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી કઈ રીતે સંચાલન કરવું તેનું આયોજન કરાશે. સરકારના નિયમ પ્રમાણે બસને ચલાવવામાં આવશે.
આવતીકાલથી AMTS-BRTS બસ સેવા શરૂ થશે
અમદાવાદ શહેરના 61 રૂટ પર 300થી વધુ AMTS બસ દોડવામાં આવશે. જેમાં 50 ટકા પેસેન્જરો જ બસમાં મુસાફરી કરી શકશે. 32 સીટની બસમાં માત્ર 16 પેસેન્જરો જ બેસી શકશે. અને સ્ટીકરો મારી સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે. આ ઉપરાંત ડ્રાઇવર અને કંડક્ટરોએ માસ્ક ફરજિયાત પહેરવા પડશે. સાથે જ પૂર્વ અને પશ્ચિમમાં અલગ અલગ AMTS દોડશે. બસ પશ્ચિમમાં નહીં આવે અને પશ્ચિમની બસ પૂર્વમાં નહીં જાય. પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં AMTS બસ શરૂ કરાશે. અને રોજ રાત્રીના સમયમાં બસને સેનેટાઇઝ કરાશે. આ ઉપરાંત સવારના 6થી રાતના 8 વાગ્યા સુધી જ AMTS બસ ચાલશે.
મળતી માહિતી અનુસાર, રૂટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આ બસો દોડશે નહીં. લાલદરવાજા બસ સ્ટેન્ડ કાર્યરત નહીં રહે. લાલદરવાજાની બસો નટરાજ સિનેમા પાસેથી બસો ઉપડશે. નદીની પાર કોઈ બસો જશે નહીં. સોશિયલ ડિસ્ટન્સ બસ સ્ટેન્ડ પર જળવાય તે માટે ફ્લાઈંગ સ્કવૉડ અને વિજિલન્સ ટીમો તૈનાત કરવામાં આવશે.
આવતીકાલથી અમદાવાદમાં ST બસ સેવા શરૂ થશે
આવતીકાલથી અમદાવાદમાં ST બસ સેવા ફરી શરૂ થવાની છે. લૉકડાઉન બાદ પ્રથમ વખત અમદાવાદમાં ST શરૂ થવાની છે. તેને લઈને હાલ એસ.ટી પ્રશાસને તમામ તૈયારીઓ કરી લીધી છે. જો કે કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતા ગીતા મંદિર બસસ્ટેન્ડનો લોકોને ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે. મુસાફરોને ગીતામંદિર બસ સ્ટેશનને ન આવવા અપીલ કરવામાં આવી છે. રાણીપ, નહેરૂનગર બસ સ્ટેશનથી સંચાલન કરવામાં આવશે. કૃષ્ણનગર, નારોલ, CTM બસ સ્ટેશનથી પણ સંચાલન કરવામાં આવશે.