સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ટ્વિટર પર સવાલ ઉઠી રહ્યા છે, સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા માટે કોણ જવાબદાર છે. કરણ જોહર અને આલિયા ભટ્ટ પછી લોકો સલમાન ખાન સહીત ઘણાં લોકો પર આરોપ લગાવી રહ્યા છે. લોકોનો આરોપ છે કે બોલિવૂડે હંમેશાં સુશાંત સાથે ભેદભાવ રાખ્યો છે
IIFA દરમિયાન સુશાંતની ઉડાવી હતી મજાક
શાહરૂખનો મોટો ફૅન હતો સુશાંત
લોકો ભડક્યા શાહરૂખ પર
.
આઇફા એવોર્ડ દરમિયાન સુશાંતને સ્ટેજ પર બોલાવીને શાહિદ કપૂર અને શાહરૂખ ખાને સુશાંતની મજાક બનાવી હતી. તેને કહ્યું હતુ કે, શાહીદ જેવા લેજન્ડ સામે તુ ડાન્સની વાત કરી રહ્યો છે, તને શરમ નથી આવતી. સુશાંતના નામ ઉપર પણ શાહરૂખે કમેન્ટ કરી હતી કે આ નામ છે કે તેનુ સરનામુ. બાદમાં તેના પર ઘણી મજાક કરી હતી.
સુશાંતે હતાશાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે તેના ચાહકો શાહરૂખ પર ભડક્યા છે અને કહ્યું છે કે, તમે શા કારણે બધાની સામે તેની મજાક ઉડાવી ? તેનો કોઇ ગોડફાધર નહોતો એટલા માટે તેની મજાક કરી? એક આઉટસાઇડરને તમે ક્યારે રિસપેક્ટ આપતા શીખશો.