થોડા દિવસો પહેલા ઇન્ડોનેશિયાનુ વિમાન લાપતા થયું હતું. જોકે હાલ તે ક્રેશ થયું હોવાની સંભાવના છે. દરિયામાંથી તેનો સંદિગ્ધ કાટમાળ મળી આવ્યો છે. ત્યારે હવે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મોટી દુર્ઘટના થતા થતા રહી ગઇ છે. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી છે. 233 યાત્રી સવાર વિમાન એરપોર્ટ પર જામેલા બરફ સાથે ટકરાયું હતું. આ ઘટનાના પગલે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે રાહતના સમાચાર એ છે કે આ વિમાન દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી નથી.
શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી
233 યાત્રીઓ ભરેલુ વિમાન બરફ સાથે ટકરાયુ
વિમાન દુર્ઘટનામાં કોઈ યાત્રીને જાનહાની નહીં
જમ્મુ કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર 233 લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા થતા રહી ગઇ. બુધવારે 233 યાત્રી ભરેલું ઇન્ડિગો એરલાઇન્સનું વિમાન એરપોર્ટ પર જ બરફ સાથે ટકરાઇ ગયું. જેનાથી વિમાન આખી હલી ગયું અને અંદર બેઠેલા લોકો ડરી ગયા હતા. આ દુર્ઘટનાથી શ્રીનગર એરપોર્ટ પર અફરાતફરી મચી ગઇ હતી. પરંતુ આ દુર્ઘટનામાં કોઇ યાત્રીને કોઇ પણ પ્રકારનું કોઇ નુકસાન થયું નથી.
કાશ્મીરના અનેક વિસ્તારોમાં હાલના દિવસોમાં હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે સમગ્ર ઘાટી બરફની ચાદર ઓઢેલી જોવા મળી રહી છે. ભીષણ હિમવર્ષાથી બંધ રોડ અને એરપોર્ટ પર ઉડાનોમાં વિલંબ પણ થઇ રહ્યો છે.
પરંતુ શ્રીનગર એરપોર્ટને યોગ્ય રીતે ચલાવવા માટે એરપોર્ટ પર ભારે વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઇને એરપોર્ટ પર રનવેથી હટાવાયેલો બરફ કાંઠે જ છોડી દેવાયો. જેના કારણે ઇન્ડિગો એરલાઇન્સના વિમાનનો ભાગ તે બરફ સાથે ટકરાઇ ગયો.
આ અંગે મળેલી માહિતી અનુસાર, ઇન્ડિગોની 6E-2559 નંબરનું આ વિમાન શ્રીનગરથી દિલ્હીની ઉડાન ભરવાનું હતું. જેનાથી એન્જિનનો ડાબો ભાગ બરફમાં ફંસાય ગયો. ત્યારબાદ તાત્કાલિક તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અને આખા વિમાનની તપાસ કરવામાં આવી. પરંતુ બાદમાં વિમાનને દિલ્હી માટે રવાના કરી દેવાયું. તમામ યાત્રીઓને શુભ યાત્રાની શુભકામનાઓ આપવામાં આવી.