ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ ભારતના કેટલાક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. ભગવાનના બાળપણના પરાક્રમો અને તેમના તોફાનોની વાતો હિંદૂ શાસ્ત્રમાં આલેખાયા છે. આ તમામ શાસ્ત્રોમાં શ્રીમદભાગવતને સૌથી વધુ ચોક્કસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધર્મમાં જણાવ્યાનુસાર શ્રીમદભાગવતનું પઠન કરવાથી પાપનો નાશ થાય છે. જો કે હાલના સમયમાં કોઇ વ્યક્તિ પાસે સમગ્ર ભાગવત વાંચવાનો સમય કોઇની પાસે નથી.
આ મામલે ઉજ્જૈનના એક વિદ્વાન જ્યોતિષાચાર્યે જણાવ્યું હતું કે જે વ્યક્તિ ભાગવદનો પાઠ દરરોજ કરે છે. તેમને જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા મળે છે અને જો કોઇ વ્યક્તિ પાસે સંપુર્ણ ભાગવદનો પાઠ કરવાની અનુકૂળતા ના હોય તો માત્ર એક મંત્રનો પાઠ કરવાથી સમગ્ર ભાગવદનું ફળ પ્રાપ્ત થાય છે. આ મંત્ર નીચે મુજબ આપવામાં આવેલ છે.
- સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ચોખ્ખા વસ્ત્રો ધારણ કરીને કૃષ્ણની પૂજા કરવી જોઇએ.
- ભગવાન શ્રી કૃષ્ણની એક તસવીરને સન્મુખ રાખીને હાથમાં તુલસીની માળા રાખીને ઉપર જણાવેલ મંત્રનો જાપ હ્રદયના ભાવ સાથે કરવો જોઇએ. દરરોજ આ મંત્રનો જાપ 5 વખત કરવાથી સમગ્ર ભાગવદનું ફળ પ્રાપ્ત થાય છે.
- આપને જણાવી દઇએ કે દરરોજ એક જ સમયે એક જ સ્થળ પર બેસીને ભગવાન શ્રી કૃષ્ણના આ મંત્રનો જાપ કરવો જોઇએ.
-આ મંત્રનો સાચા હ્રદયે જાપ કરવાથી સમગ્ર ભાગવદનું પઠન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.