યૂનાઇટેડ નેશનલ પાર્ટીનાં નેતા રાનિલ વિક્રમસિંઘેને રવિવારનાં રોજ બીજી વાર શ્રીલંકાનાં પ્રધાનમંત્રી પદને માટે નિયુક્ત કરવામાં આવેલ છે અને તેઓએ આ પદની શપથ પણ ગ્રહણ કરી લીધેલ છે. આ સાથે જ દેશમાં 51 દિવસનો લાંબો સત્તા સંઘર્ષ પણ ખતમ થઇ ગયેલ છે.
AFP news agency: Sri Lanka reinstates ousted Prime Minister Ranil Wickremesinghe. (file pic) pic.twitter.com/XoSTHYAyql
રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ અહીંયા રાષ્ટ્રપતિ સચિવાલયમાં એક સાદા સમારોહમાં વિક્રમસિંઘને પદની શપથ દેવડાવી. તેઓની આ નિયુક્તિ ત્યારે થઇ કે જ્યારે મહિન્દ્રા રાજપક્ષેએ શનિવારનાં રોજ રાજીનામું આપી દીધું કે જેમાં વિક્રમસિંઘેનો પ્રધાનમંત્રી બનવાનો રસ્તો સ્પષ્ટપણે સાફ થઇ ગયો છે. સિરિસેનાએ વિક્રમસિંઘેને હટાવીને રાજપક્ષેને પ્રધાનમંત્રી બનાવ્યાં હતાં.
સિરિસેનાએ વિવાદાસ્પદ પગલું ઉઠાવતા 26 ઓક્ટોમ્બરનાં રોજ વિક્રમસિંઘેને બરખાસ્ત કરી દીધાં હતાં અને તેઓનાં સ્થાન પર મહિન્દ્રા રાજપક્ષેને નિયુક્ત કર્યા હતાં કે જેનાંથી દ્વિપક્ષીય દેશમાં સંવૈધાનિક સંકટ પેદા થઇ ગયું હતું. સિરિસેના શુક્રવારનાં રોજ વિક્રમસિંઘે સાથે ફોન પર થયેલી વાતચીત બાદ તેને ફરી વાર નિયુક્ત કરવા માટે રાજી થઇ ગયા હતાં.