કોરોના વાયરસને કારણે બીસીસીઆઈ દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (આઈપીએલ 2020) અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે પરંતુ આ દરમિયાન બોર્ડને શ્રીલંકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાની દરખાસ્ત મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ શમ્મી સિલ્વાએ આ અંગે બીસીસીઆઈના અધિકારીઓ સાથે વાત કરી છે.
બીસીસીઆઈએ અનિશ્ચિત સમય માટે આઈપીએલ સ્થગિત કર્યું
તો હવે આ દેશે પોતાના ત્યાં આઈપીએલનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો
બીસીસીઆઈ કહ્યું, અમારા માટે ખેલાડી સુરક્ષિત રહે તે જ સર્વોચ્ય છે
તમને જણાવી દઈએ કે, શ્રીલંકામાં કોરોના વાયરસના બહુ ઓછા કેસ છે, ત્યાં દર્દીઓની સંખ્યા 400 કરતા ઓછી છે અને શ્રીલંકામાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં માત્ર 7 લોકોના મોત થયા છે.
શ્રીલંકામાં આઈપીએલ યોજાશે?
એક અખબાર સાથે વાત કરતાં શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વાએ માહિતી આપી કે, તેમણે બીસીસીઆઈને શ્રીલંકામાં આઈપીએલ યોજવા માટેની દરખાસ્ત કરી છે. સિલ્વાએ કહ્યું કે, જો આઈપીએલ મોકૂફ રાખવામાં આવે તો આઈપીએલ ફ્રેન્ચાઇઝી અને બીસીસીઆઈને ભારે નુકસાન વેઠવું પડશે. તેમને લગભગ 500 મિલિયન ડોલરથી વધુનું નુકસાન વેઠવું પડી શકે છે. તેથી, આ લીગ બીજા દેશમાં પણ આયોજિત થઈ શકે છે, જેવું તેમણે વર્ષ 2009માં કર્યું હતું. તે દરમિયાન આઈપીએલ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રમુખે કહ્યું કે, 'જો અમને બીસીસીઆઈ તરફથી પોઝિટિવ જવાબ મળે છે, તો અમે તેમને બધી જ જરૂરી ચીજો ઉપલબ્ધ કરવા તૈયાર છીએ. આ સાથે શ્રીલંકા આરોગ્ય વિભાગ પણ મદદ કરશે.
શ્રીલંકાના આ પ્રસ્તાવને સ્વીકારવું મુશ્કેલ
શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને દરખાસ્ત કરી છે, જોકે, આ સમયે આટૂર્નામેન્ટનું આયોજન કરવું મુશ્કેલ છે. હકીકતમાં, લાખો લોકો કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. હાલ આ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, બીસીસીઆઈ ભાગ્યે જ ખેલાડીઓને જોખમમાં મૂકીને આઈપીએલ યોજવાનું વિચારશે. સાથે એવું કરતા પહેલા તેણે સરકારની મંજૂરી લેવી પડશે. આ સિવાય ઘણાં દેશોએ તેમની ફ્લાઇટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, તેથી વિદેશી ખેલાડીઓનું આવવું મુશ્કેલ બનશે.
તમને જણાવી દઈએ કે, આઈપીએલ સ્થગિત રાખ્યા પછી ખેલાડીઓ અને લોકોનું સ્વાસ્થ્ય સર્વોચ્ચ હોવાનું મનાય છે. બીસીસીઆઈના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમારા મહાન દેશમાં રમતની અને રમત સાથે સંકળાયેલા દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સર્વોચ્ચ છે. બીસીસીઆઈ, ફ્રેન્ચાઇઝી માલિકો, બ્રોડકાસ્ટર્સ, પ્રાયોજકો અને તમામ સંબંધિતો પક્ષો સાથે મળીને આ નિર્ણય લીધો છે કે જ્યારે સ્થિતિ સુરક્ષિત હશે ત્યારે જઆઇપીએલની આ સીઝન (આઈપીએલ 2020 મુલતવી) રમવામાં આવશે.