મુંબઇઃ ફિલ્મી પર્દે પોતાની ખુબસુરતીથી દિવાના બનાવતી બોલીવુડની 'ચાંદની' શ્રીદેવીએ પોતાની અંતિમ સફરે છે. શ્રીદેવીની અંતિમ સંસ્કારમાં લાખો લોકો જોડાયા. મોટી સંખ્યામાં ફિલ્મી સ્ટાર જોડાયા છે.તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે શ્રીદેવીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.તેના પતિ બોની કપૂરે મુખાગ્નિ આપ્યો હતો.દક્ષિણ ભારતીય પરંપરા મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી.
થોડીવારમાં શ્રીદેવીની અંતિમ સંસ્કાર થવા જઇ રહ્યા છે. અંતિમ સંસ્કારમાં નામી હસ્તીઓ જોડાઇ છે. વિલે પાર્લે સમાજ સેવા સ્મશાનમાં અંતિમ સંસ્કાર થવા જઇ રહ્યા છે. ચાંદનીને ચંદનના લાકડાથી અગ્નિદાહ અપાશે. સ્મશાન ઘાટ પર અનિલ અંબાણી પહોંચ્યા છે. નીતા અંબાણી પર સ્મશાન પહોંચ્યા છે. ત્યારે અંતિમ યાત્રામાં શાહરૂખ ખાન પહોંચ્યા છે.
સફેદ ફૂલોથી સજાવવામાં આવેલ ટ્રકમાં શ્રીદેવીની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. ટ્રક પર બોની કપૂર અર્જુન કપૂર સહીત આખો પરિવાર હાજર છે. ટ્રક પાછળ કેટલાક બોલીવુડના સેલિબ્રિટી અને લાખો લોકોની ભીડ જોડાઇ છે.
શ્રીદેવીના પાર્થિવદેહને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.
(ફોટો-ANI)
શ્રીદેવીનું પાર્થિવ શરીર તિરંગામાં લપેટાયેલું છે.
શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઈથી મુંબઈ સ્થિત ગ્રીન એકર્સમાં રાખવામાં આવ્યો હતો. 3.30 કલાકે શ્રીદેવીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ત્યારે આ પળમાં પરિવારને સાથ આપવા માટે મોટી સંખ્યામાં બોલિવુડ સ્ટાર પણ પહોંચ્યા હતા. તો શ્રીદેવીના દર્શન એક પછી એક બોલિવુડ સ્ટાર ઉમટ્યા હતા. શ્રીદેવીના પાર્થિવ દેહની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે.
ત્યાર બાદ 3.30 કલાકે વિલે પાર્લે સ્થિત અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહત્વનું છે કે શ્રીદેવીનું નિધન દુબઈમાં થયું હતું. જ્યાંથી ચાર્ટડ પ્લેન દ્વારા તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવ્યો હતો.