ભારતની હવા હવાઇના ઉપનામથી જાણીતી બનેલ શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી ખાસ વિમાન મારફતે મુંબઇ લાવવામાં આવ્યો હતો.
તેના નશ્વરદેહના મુંબઇ એરપોર્ટ પર આવવાનો હોઇ સમર્થકો સહિત પરિચીતો મુંબઇના છત્રપતિ શિવાજી આતંરરાષ્ટ્રીય હવાઇ મથક બહાર આવી પહોંચ્યા હતા.આ ઘટનાને પગલે એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કોકિલા બહેન અંબાણી હોસ્પિટની વિશેષ એમ્બ્યુલન્સ દ્વારા ભારતીય ફિલ્મ જગતની જાણીતી અદાકારાના દેહને તેના નિવાસ્થાન તરફ લઇ જવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં મળેલી એક માહિતી પ્રમાણે ભારતની ચાંદનીના પાર્થિવ દેહને એરપોર્ટથી સીધો જ બોની કપૂરના લોખંડવાલા સ્થિત ઘર ગ્રીન એકડ્સમાં લઇ જવામાં આવશે.28 ફેબ્રુઆરીની સવારે શ્રીદેવીના પાર્થિવ શરીરને ઘરની નજીક આવેલ સેલિબ્રેશન ક્લબ લઇ જવામાં આવશે.
જ્યાં સવારે 9:30થી 12:30 વાગ્યા સુધી લોકો અને તેના પરિચીતો દ્વારા અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.ત્યારબાદ 3:30થી 5:30 વાગ્યા વચ્ચે વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.