હિન્દુવાદી સંગઠન શ્રીરામ સેના પ્રમુખ પ્રમોદ મુથાલિકે એક વિવાદિત નિવેદન આપ્યુ છે. પોતાના આ નિવેદનમાં ગયા વર્ષે હુમલામાં મૃત્યુ પામનાર પત્રકાર અને સામાજિક કાર્યકર્તા ગૌરી લંકેશની તુલના કૂતરા સાથે કરી છે.
રિપોર્ટ પ્રમાણે મુથાલિકે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે ગૌરી લંકેશની હત્યા સાથે તેમનો કોઈ સંબંધ નથી. તેની સાથે જ તેમણે કહ્યુ કે ગૌરી લંકેશની હત્યાનો વિરોધ કરનારાઓએ કોંગ્રેસના અસફળ શાસનનો વિરોધ કેમ ન કર્યો? તેમણે કહ્યુ કે લોકો ઈચ્છે છે કે પીએમ મોદી ગૌરી લંકેશની હત્યા પર પ્રતિક્રિયા આપે પરંતુ જો કર્ણાટકમાં કૂતરાનું મોત થાય તો શું મોદીએ પ્રતિક્રિયા આપવી જોઈએ?
Two murders took place in Karnataka and two in Maharashtra in Congress rule. No one questioned Congress govt failure. Instead they are asking why is PM Modi silent and not speaking on Gauri Lankesh’s death. Is Modi responsible even if any dog dies in Karnataka?:Pramod Muthalik pic.twitter.com/e7GDdNvTbO
મુથાલિકે કહ્યુ કે 'કોંગ્રેસ શાસનમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બે-બે હત્યાઓ થઈ. કોઈએ કોંગ્રેસ સરકારની નાકામી પર સવાલ નથી ઉઠાવ્યો. કોંગ્રેસને પૂછવાને બદલે તેઓ સવાલ પૂછી રહ્યા છે કે ગૌરી લંકેશ હત્યાકાંડ પર પ્રધાનમંત્રી મોદીએ ચુપકી કેમ સાધી રાખી છે. જો કર્ણાટકમાં કોઈ કૂતરાનું મોત થઈ જાય છે તો શું તેના માટે નરેન્દ્ર મોદી જવાબદાર છે?' તેમના આ નિવેદન પર રાજકારણમાં હોબાળો મચી ગયો છે.