ભારતમાં આગામી વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકાની ટીમ રમવા માટે આવશે. બંને દેશોની વચ્ચે 3 મેચની T-20 સીરિઝ રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે એક નિવદેન જારી કરીને જાણકારી આપી છે.
શ્રીલંકાની ટીમ આવશે ભારતના પ્રવાસ
5 જાન્યુઆરીથી શરૂ થશે ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે T-20 સીરિઝ
BCCI એ ટ્વીટ કરી જાણકારી આપી
BCCI દ્વારા કહેવામાં આવ્યુ છે કે,'' 5થી 10 જાન્યુઆરી દરમિયાન ઝિમ્બાબ્વેની ટીમ ભારતના પ્રવાસે આવવાની હતી, પરંતુ ICC એ તેના પર પ્રતિબંધ લાવી દીધો છે. જે પછી BCCI એ શ્રીલંકાને 3 T-20 મેચની સીરિઝ રમવા માટે આમંત્રિત કર્યુ છે. શ્રીલંકાની ક્રિકેટ ટીમે આ આમંત્રણનો સ્વીકાર પણ કરી દીધો છે.''
JUST IN: Sri Lanka to play three-match T20I series against India in January.
ટીમ ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે પહેલી મેચ 5 જાન્યુઆરી ગુવાહાટીમાં રમાશે, આ પછી બંને ટીમ 7 જાન્યુઆરીના ઇન્દોરમાં રમશે. સીરિઝની છેલ્લી મેચ પૂનામાં 10 જાન્યુઆરીના રોજ રમવામાં આવશે.
તાજેતરમાં જ ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાની વિરુદ્ઘ 3 મેચની T-20 સીરિઝ રમી હતી, જે 1-1થી બરાબર રહી હતી. હવે બંને દેશોની વચ્ચે 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમાં પહેલી મેચ રમશે, આ પછી 10 ઓક્ટોબરથી બીજી ટેસ્ટ રાંચી ખાતે, જ્યારે 19 ઓક્ટોબરના ત્રીજી અને અંતિમ ટેસ્ટ પૂના ખાતે રમશે.