કોલંબોના આર પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી પરાજય આપ્યો છે.
ટી-20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં શ્રીલંકાનો વિજય
ભારતે 20 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 81 રન બનાવ્યાં હતા
શ્રીલંકાએ 3 વિકેટના નુકશાન પર 81 રન બનાવી લીધા
પહેલા બેટિંગ કરીને ભારતે 20 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 81 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમે 14.3 ઓવરમાં 3 વિકેટના નુકશાન પર 81 રન બનાવી લીધા હતા.
શ્રીલંકાએ સ્ટાર ખેલાડીઓ વગર ત્રીજી ટી 20 માં ટીમ ઇન્ડિયાને 7 વિકેટે હરાવી હતી. લેગ સ્પિનર વહિંદુ હસરંગા (4 વિકેટ અને અણનમ 14) એ શ્રીલંકાની જીતમાં તેના જન્મદિવસ પર તેના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 4 વિકેટ લઈને ભારતીય બેટિંગની કમર તોડી નાખી હતી. ભારત 8 વિકેટે માત્ર 81 રન સુધી પહોંચી શક્યું હતું. જવાબમાં શ્રીલંકાએ 14.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ સાથે, તેણે શ્રેણી 2-1થી જીતી લીધી.
ભારતનાં બેટ્સમેનોનું સરેન્ડર
શ્રીલંક બોલર્સ સામે ભારતના બેટ્સમેનોએ જાણે સરેન્ડર કરી દીધું હોય તેમ 81 રનમાં જ આખી ટીમ સમેટાઇ ગઈ હતી
શ્રીલંકા સામે ભારતનાં બેટ્સમેનો ધોવાયા
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી 20 મેચમાં ભારતનાં ક્રિકેટ ઈતિહાસની શરમજનક ઘટના થઈ છે, મોટા મોટા સ્કોર કરીને ક્રિકેટનાં ધુરંધરોનો રેકોર્ડ તોડવા માટે જાણીતી ટીમ ઈન્ડિયાનો શ્રીલંકન ટીમ સામે જબરદસ્ત ધબડકો પડ્યો. શરૂઆતમાં જ ધડાધડ વીકેટ પડી જતાં સ્કોરબોર્ડ માંડ માંડ રન વધી રહ્યા હતા. મેચની પહેલી જ ઓવરમાં ટીમનાં કેપ્ટન ધવન પવેલીયનભેગા થઈ ગયા હતા.
ભારતનો શરમજનક સ્કોર
શ્રીલંકા સામે રમાઈ રહેલા મેચમાં T-20નાં ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ સર્જાયો છે. સ્કોર બોર્ડ પર જ્યારે 10 ઓવર પૂર્ણ થયા ત્યારે સ્કોરબોર્ડ પર માત્ર 39 રન હતા અને 5 વીકેટ ભારતે ગુમાવી દીધેલ હતી. ભારતનાં ક્રિકેટ ઈતિહાસમાં T 20નો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. ટીમનાં પાંચ શરૂઆતનાં બેટ્સમેન આઉટ થઈ ગયા.
ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય ભારે પડ્યો
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી 20 સીરિઝની છેલ્લી મેચ આજે કોલંબોનાં પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી હતી જેમાં ભારતની ટીમમાં સંદીપ વારિયરે ડેબ્યૂ કર્યું છે. ભારતે ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ બેટિંગમાં જબરદસ્ત ઝટકા પર ઝટકા ટીમ ઈન્ડિયાને લાગ્યા. પહેલા બેટિંગ કરવાનો નિર્ણય ટીમ પર ભારે પડ્યો અને 36 રનમાં જ ટીમની પાંચ વીકેટ પડી ગઈ અને 10 ઓવરમાં માત્ર 39 રન જ બની શક્યા, જે અત્યાર સુધીનો સૌથી નાનો સ્કોર સાબિત થયો છે.
પત્તાંની જેમ ખરી પડી વીકેટ
શ્રીલંકન સ્પિનર અને જબરદસ્ત કેચની સામે ભારતના બેટ્સમેનોએ જાણે ઘૂંટણિયા ટેકવી દીધા. ટીમનો એક પણ ખેલાડી ટકી ન શક્યો. શ્રીલંકન સ્પિનર હસરંગાએ પોતાના જન્મદિવસે રેકોર્ડ બનાવ્યો અને 9 રન આપીને ચાર ચાર વિકેટ ખેરવી લીધી.