પૂર્વ રાજદૂત જી.પાર્થસારથી પ્રમાણે, ર્ઇસાઇ સમુદાયને ટાર્ગેટ બનાવીને ર્ઇસ્ટર પર કરવામાં આવેલા હુમલાના સમયથી સ્પષ્ટ છે કે આ ન્યૂઝીલેન્ડમાં મસ્જિદ પર કરવામાં આવેલા હુમલાની પ્રતિશોધ હતી.
શ્રીલંકામાં ઇસ્ટરના તહેવારે થયેલા 8 બ્લાસ્ટમાં 290 લોકોની મોતએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. ભારતના પૂર્વ રાજદૂત પાર્થસારથીનું માનવું છે કે આ બ્લાસ્ટ ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં કરવામાં આવેલી હત્યાઓનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. આતંકીઓએ એ દેશને પસંદ કર્યો, જેમાં એવા હુમલા માટે વિચારવું થોડું મુશ્કેલ હતું. જો કે આતંકીઓએને એક સાથે આટલી ચર્ચ અને વિદેશી પ્રવાસીઓ સરળતાથી ક્યાં મળી શકતા હતા.
પાર્થસારથીએ કહ્યું, 'મોટી સંખ્યામાં શ્રીલંકાઇ યુવાઓું સીરિયા અથવા ઇરાક જઇને આતંકી સંગઠન આઇએસઆિએસમાં સામેલ થવા અને પ્રશિક્ષણ લેવાનો કોઇ પુરાવો મળ્યો નથી. શ્રીલંકામાં હુમલાવરોના ટાર્ગેટે ઇસાઇ સમુદાય હતો. એમને બ્લાસ્ટ માટે ઇસ્ટરના દિવસની પસંદગી કરી, જે દિવસે ચર્ચમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સ્પષ્ટ છે કે હુમલાવરોએ ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા હુમલાની પ્રતિશોધ લેવા માટે આ બ્લાસ્ટ કર્યો.'
બૌદ્ધ ધર્મથી જોડાયેલા સંગઠનોમાં ઇસ્લામનો સતત વિરોઝ વધી રહ્યો છે. બૌદ્ધ ધર્મને માનનાર મ્યાનમાર અને થાઇલેન્ડમાં પણ ઇસ્લામને લઇને કંઇક આવો જ માહોલ છે. શ્રીલંકામાં હુમલાવરોએ એ હોટલોને ચાર્ગેટે લીધા, જ્યાં ઇસાઇ ધર્મને માનનાર સ્થાનિક લોકો ઉપરાંત પશ્વિમી દેશોના વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં રોકાયા હતા. આ માત્ર શ્રીલંકા પર જ નહીં, સમગ્ર દુનિયાને હચમચાવી દેનારો હુમલો હતો.