ઇસાઇઓનો પવિત્ર પર્વ ઇસ્ટરના દિવસે ચર્ચ અને હોટલોને નિશાન બનાવતા 8 બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા. આ બ્લાસ્ટમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 290 લોકોનો મોત થયા છે, જ્યારે 450થી વધુ લોકો ઘાયલ થયા છે.
કોલંબો: રવિવારે સવારે થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ પડોશી દેશ શ્રીલંકાાં શોકની લાગણી છવાયેલી છે. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ આજે અડધી રાતથી દેશમાં ઇમરજન્સી લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે શ્રીલંકાઇ સરકારે પહેલી વખત આ હુમલા માટે જવાબદાર સંગઠનનું નામ લીધું છે. સરકારના પ્રવક્તાએ સીરિયલ બ્લાસ્ટ માટે સ્થાનિક ઇસ્લામી ચરમપંથી સંગઠન નેશનલ તૌહીદ જમાતને જવાબદાર ગણાવ્યા છે.
શ્રીલંકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ તરફથી સોમવારે દેશમાં અડધી રાતથી ઇણરજન્સી લગાડવાની ભલામણ કરી છે. વિસ્ફોટોને ધ્યાનમાં રાખીને દેશમાં ફરીથી કર્ફ્યૂ પણ લાદવામાં આવશે. આ સોમવારે રાતે 8 વાગ્યાથી લઇને મંગળવારે સવારે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટમાં મરનારનો આંકડો 290 સુધી પહોંચી ગયો છે. એમાં ચાર જનતા દળ સેક્યુલરના કાર્યકર્તાઓ સહિત સાત ભારતીય પણ સામેલ છે. મોટી સંખ્યામાં લોકો ગંભીર રૂપથી ઘાયલ થવાના કારણે મરનાર લોકોનો આંકડો વધે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.