શ્રીલંકાના પૂર્વ કપ્તાન અને દિગ્ગજ ક્રિકેટર સનથ જયસૂર્યા પર ICC ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળ આરોપ લાગ્યો છે. ઈન્ટનરેશનલ ક્રિકેટ કાઉન્સિલે જયસૂર્યાને 14 દિવસમાં જવાબ આપવા સૂચના પણ આપી છે.
જયસૂર્યા પર ICCની એન્ટિ કરપ્શન યુનિટને સહયોગ ન આપવા અને તપાસમાં વિક્ષેભ ઉભો કરવાનો આરોપ લાગ્યો છે. ICCના જણાવ્યા અનુસાર જયસૂર્યાએ ICCના બે નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. ઉપરાંત જયસૂર્યાએ એન્ટિ કરપ્શન યુનિટની તપાસમાં હાજર રહેવાથી પણ ઈનકાર કર્યો અને પોતાનો મોબાઈલ જમા કરાવવાથી પણ ઈનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે જયસૂર્યા પર આ આરોપ આઇસીસીની એન્ટી કરપ્શન વિભાગની તપાસમાં સહયોગ ન આપવા પર અને દસ્તાવેજો સાથે છેડછાડના મામલે લાગેલ. જ્યારે આ મામલામાં જવાબ આપવા માટે જયસૂર્યાને ૧૪ દિવસનો સમય મળેલ છે.
આરોપ પર શું બોલ્યા જયસૂર્યા..?
અત્યાર સુધી જયસૂર્યાએ આ આરોપ પર સાર્વજનિક રીતે કોઇ નિવેદન આપ્યું નથી. આ આરોપો અંગે ખુલાસો કરવા માટે તેમને 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ દિવસ સુધી ICC કોઇપણ પ્રકારની ટિપ્પણી નહીં કરે.
ક્યારે શરૂ થઇ હતી તપાસ
2015માં જયસૂર્યાથી જોડાયેલા આ મામલે તપાસ શરૂ થઈ હતી.