આર્થિક સંકટથી ઘેરાયેલા શ્રીલંકાની મદદ માટે ભારતે ફરી એક વાર હાથ લંબાવ્યો છે. પાડોશી દેશને સતત ઈંધણની સપ્લાઈ કર્યા બાદ હવે ભારત શ્રીલંકામાં પાકને બચાવવા માટે રાહત મોકલી રહ્યું છે.
શ્રીલંકામાં આર્થિક સંકટ
જનતા ત્રાહિમામ પોકારી ઉઠી
ભારત પાડોશી દેશની કરશે મદદ
આર્થિક સંકટથી ઘેરાયેલા શ્રીલંકાની મદદ માટે ભારતે ફરી એક વાર હાથ લંબાવ્યો છે. પાડોશી દેશને સતત ઈંધણની સપ્લાઈ કર્યા બાદ હવે ભારત શ્રીલંકામાં પાકને બચાવવા માટે રાહત મોકલી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ભારતે શ્રીલંકાને ખાતરી આપી છે કે, તે હાલની સ્થિતિની અસર પાકને નહીં પડે, તેના માટે તુરંત 65 હજાર ટન યૂરિયા ખાતર સપ્લાઈ કરશે. શ્રીલંકામાં બે સીઝન લેવામાં આવે છે. તો વળી બીજી સિઝનની વાવણી સપ્ટેમ્બરમાં શરૂ થાય છે. સપ્ટેમ્બર સીઝનમાં ધાનના પાકની અસર પડવાના કારણે ઉત્પાદન વધારવું ખૂબ જ મહત્વનું થઈ ગયું છે. શ્રીલંકામાં હાલમાં આઝાદીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ખાવા પીવાના સામાનની ભારે તંગી વર્તાઈ રહી છે. હાલમાં સરકાર સ્થિતિને પાટા પર લાવવાની કોશિશ કરી રહી છે. જેનાથી દેશમાં ખાદ્યન્ન પર કોઈ આડઅસર ન આવે. આ જ કારણે સીઝન શરૂ થતા પહેલા શ્રીલંકા સરકારે જરૂરી પગલું ઉઠાવ્યું છે અને ભારતમાંથી હજારો ટન યૂરિયાની આયાત કરી રહ્યું છે.
આ અઠવાડીયા થઈ યૂરિયા સપ્લાઈની ચર્ચા
કોલંબાના મીડિયામાં આવેલા એક રિપોર્ટનું માનીએ તો, ભારતમાં શ્રીલંકાના રાજદૂત ફર્ટિલાઈઝર સચિવ રાજેશ કુમાર ચતુર્વેદીએ નવી દિલ્હીમાં આ અઠવાડીયે મુલાકાત કરી હતી. જેમાં હાલની સિઝન માટે ફર્ટિલાઈઝરની સપ્લાઈ પર ચર્ચા થઈ હતી. શ્રીલંકાએ એક નિવેદન જાહેર કરીને યૂરિયાની સપ્લાઈ માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રીલંકા દૂતાવાસે પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારત સરકારે દેશમાંથી યૂરિયાની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં શ્રીલંકાને યૂરિયા મોકલાનો નિર્ણય કર્યો છે. તો વળી ભારત સરકારે જાણકારી આફી છે કે, સરકારી કંપનીના માધ્યમથી ફર્ટિલાઈઝરને ફટાફટ શ્રીલંકા પહોંચાડવાનું કામ કરવામાં આવશે. તેની સાથે જ બંને પક્ષે ભારત દ્વારા શ્રીલંકાને હાલની ક્રેડિટ લાઈન અને તે બાદ પણ કેમિકલ ફર્ટિલાઈઝરની સપ્લાઈ પર વિચાર કર્યો છે. ભારત આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાને દેવું, ક્રેડિટ લાઈન અને ક્રેડિટ સ્વૈપ દ્વારા જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 3 અબજ ડોલરની મદદ કરી ચુક્યું છે.
ખેતી સાથે જોડાયેલી નીતિઓની અર્થવ્યવસ્થા પર અસર
ગત વર્ષે શ્રીલંકાની સરકારે કેમિકલ ફર્ટિલાઈઝર પર સમગ્ર પણે પ્રતિબંધ લગાવી દીધો હતો. સરકારની યોજના ધીમે ધીમે ખેતીને ઓર્ગેનિકમાં ઢાળવાની હતી. જો કે, ઓર્ગેનિક ફર્ટિલાઈઝરની સપ્લાઈ સીમિત રાખવાથી ખેતીના ઉત્પાદન પર ખાસ કરીને ચોખા અને ચા પર ખરાબ અસર પડી અને ઉત્પાદન ઘટવાથી કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો. ત્યાર બાદ કોવિડ અને રશિયા યુક્રેન યુદ્ધની સ્થિતિથી ભાવ કંટ્રોલ બહાર ગયા અને મોંઘવારી દર 47 મહિનાની ટોચ પર પહોંચ્યો. જ્યારે ખાદ્ય મોંઘવારી દર 12 ટકા પર પહોંચી ગયો. શ્રીલંકા સરકાર બગડતી સ્થિતિને જોતા પ્રતિબંધોમાં ધીમે ધીમે ઢીલ આપવાની આપવાની શરૂ કરી.