શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશનાં અનેક ભાગોમાં ઇસાઇઓનાં પવિત્ર તહેવાર ઇસ્ટરનાં સવારનાં રોજ ત્રણ ચર્ચ અને ત્રણ હોટલોને નિશાન બનાવતા 6 બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યાં. જેમાં બાદમાં બીજા બે બ્લાસ્ટ પણ કરવામાં આવ્યાં. કે જેમાં અન્ય 2 લોકોનાં મોત નિપજ્યાં હતાં.
તમને વધુમાં જણાવી દઇએ કે સુરક્ષાને ધ્યાને રાખીને શ્રીલંકામાં 22 અને 23 એપ્રિલનાં રોજ રજા જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે રાત્રીની પણ તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. એક ખાનગી સમાચાર એજન્સી અનુસાર હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 207 સુધી પહોંચી ગઇ છે અને 450 જેટલાં લોકો ઘાયલ થયાં છે. આશંકા દર્શાવાઇ રહી છે કે સંખ્યામાં હાલમાં હજી પણ સતત વધારો થઇ શકે છે. આ મામલે સાત લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશનાં અન્ય ભાગમાં સિરીયલ બ્લાસ્ટ થયાં. જેમાં મળતી માહિતી મુજબ 5 ચર્ચ અને 3 હોટલમાં બ્લાસ્ટ થયો હોવાનાં સમાચાર સામે આવ્યાં હતાં. એક બ્લાસ્ટ કોલંબો પોર્ટનાં કોચીકડે ચર્ચમાં થયો અને બીજો હુમલો પુત્તલમ પાસે સેંટ સબૈસ્ટિયન ચર્ચમાં થયો. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયાં અને કેટલાંક લોકોનાં મોત પણ નિપજ્યાં. આ મામલે સ્થાનિક પોલીસનું એમ માનવું છે કે, એક વિસ્ફોટ બટ્ટીકલાઓનાં ચર્ચમાં થયો હતો.
આ વિસ્ફોટને પગલે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં કે જેમાં કેટલાંક વિદેશી પર્યટકો પણ સામેલ હોવાનું ખુલવા પામેલ છે. ઉલ્લેખનીય છે કે, ચર્ચમાં થયેલ આ બોમ્બ બ્લાસ્ટમાં 80થી વધારે લોકો ઘાયલ થયાં છે જો કે, બની શકે છે હજી પણ આ સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.
વિભિન્ન હોસ્પિટલો દ્વારા મેળવેલ આંકડાઓ અનુસાર, નેશનલ હોસ્પિટલમાં 46 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. ત્યારે કલુબોવિલા હોસ્પિટલમાં 17 ઘાયલ લોકો ભરતી છે. નેગોમ્બા હોસ્પિટલમાં 74 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે જ્યારે 113 ઘાયલોની સારવાર ચાલી રહેલ છે. ત્યારે રાગમા હોસ્પિટલોમાં 7 લોકોનાં માર્યા જવાનાં સમાચાર છે. જ્યારે 30 ઘાયલોની સારવાર ચાલી રહેલ છે. આ બ્લાસ્ટમાં કાટાના ચર્ચમાં 31 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે બાટ્ટિકાલોઆમાં 27નાં મોત અને 80 લોકો ઘાયલ થયાં છે. શ્રીલંકાઇ અધિકારીઓને હવાલે બ્લાસ્ટમાં 52 લોકોને માર્યા જવાની પુષ્ટિ કરવામાં આવી છે.