શ્રીલંકામાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે હવે શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે રાજીનામુ આપી શકે છે. એક રિપોર્ટમાં આ પ્રકારનો દાવો કર્યો છે.
શ્રીલંકામાં આર્થિક કટોકટી વચ્ચે મોટા સમાચાર
ભારે વિરોધ બાદ રાજીનામુ આપી શકે છે શ્રીલંકાના પીએમ
દેશ થઈ ગયો કંગાળ, રાંડ્યા પછી આવશે ડહાપણ
શ્રીલંકામાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે હવે શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે રાજીનામુ આપી શકે છે અને જનતા દ્વારા મજબૂર કર્યા બાદ રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે પોતાના મોટા ભાઈ અને વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેનું રાજીનામુ લેવા માટે મજબૂર થયા છે. દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા બંને ભાઈ સત્તા છોડવા માટે તૈયાર નહોતા અને એટલા માટે દેશમાં ફરી વાર ઈમરજન્સી લાગૂ કરી દેવામાં આવી હતી.
રાજીનામુ આપશે શ્રીલંકાના પ્રધાનમંત્રી
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના અનુરોધ પર પોઝિટિવ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે દ્વિપ રાષ્ટ્રમાં ઈમરજન્સી લાગૂ કરવાની સાથે સાથે મંડરાઈ રહેલા આર્થિક સંકટના કારણે પ્રધાનમંત્રી પદ છોડવાનો અનુરોધ કર્યો હતો. કોલંબો પેજના રિપોર્ટ અનુસાર, ગોટબાયા રાજપક્ષેની અધ્યક્ષતામાં પ્રેસિડેંટ હાઉસમાં એક વિશેષ કેબિનેટ બેઠકમાં મહિન્દ્રા રાજપક્ષેએ શ્રીલંકાની હાલની આર્થિક સ્થિતિના નિવારણ માટે પ્રધાનમંત્રીની નિષ્ફળતા કારણે, મહિન્દ્રા રાજપક્ષે પોતાના પદ પરથી રાજીનામુ આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે. હવે શ્રીલંકાની કેબિનેટ બેઠક તેમનું રાજીનામુ સ્વિકાર કરી શકે છે. આ ઉપરાંત મહિન્દ્રા રાજપક્ષેએ કહ્યું કે, જો શ્રીલંકામાં સતત આર્થિક સંકટ એકમાત્ર સમાધાન તેમનું રાજીનામુ છે, તો તેઓ આવું કરવા માટે તૈયાર છે.
શ્રીલંકામાં સ્થિતિ બગડી
ત્યારે હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ સ્વિકાર કર્યો છે કે, લોકોના આકરા વિરોધ વચ્ચે દેશમા આર્થિક અને રાજકીય સંકટનું મેનેજમેન્ટ કરવું એક ગંભીર સમસ્યા બની ગઈ છે.એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર તેમણે કહ્યું કે, સંકટના પરિણામસ્વરૂપ દેશમાં પર્યટકોની સંખ્યા વધું ઓછી થઈ છે. આ ઉપરાંત કારખાના બંધ થતાની પહેલા જ આર્થિક સંકટનો બોઝ વધી ગયો હતો. તેની સાથે જ રાજકીય સૂત્રોથી જાણવા મળે છે કે, શ્રીલંકાના કેબિનેટ મંત્રી, પ્રસન્ના રણતુંગા, નાલકા ગોડાહેવા અને રમેશા પથિરાના, સહિત દેશના પ્રધાનમંત્રી તરીકે રાજીનામુ આપનારા મહિન્દ્રા રાજપક્ષેના નિર્ણય સાથે સહમત છે. જો કે, કેબિનેટ મંત્રીઓમાં વિરોધાભાસમાં મંત્રી વિમલવીરા દિલાનાયકેએ કહ્યું હતું કે, દેશને સંકટથી નિવારણ માટે મહિન્દ્રાનું રાજીનામું બેકાર સાબિત થશે.