શ્રીલંકામાં રાજકીય મડાગાંઠની વચ્ચે રાષ્ટ્રપતિએ મૈત્રિપાલા સિરીસેનાએ જણાવ્યું કે સોમવાર સુધીમાં નવા વડાપ્રધાન અને કેબિનેટની જાહેરાત કરવામાં આવશે.
સિરીસેનાએ કહ્યું કે તેઓ વડાપ્રધાન પદપરથી બરતરફ કરાયેલા રાનિલ વિક્રમસિંઘને બીજી વખત વડાપ્રધાન તરીકે નિયુક્ત કરશે નહીં.
શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે ગુરૂવારે પોતાના ચુકાદામાં રાષ્ટ્રપતિ સિરીસેના દ્વારા સંસદ ભં કરવાના પગલાને ગેરબંધારણીય જણાવ્યું હતું.
એક રીપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ યૂનાઇટેડ પીપલ્સ ફ્રીડમ અલયાન્સ (યૂપીએએફએ)ની ગુરૂવારે રાતે વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સિરીસેના પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ બેઠકમાં કોર્ટના નિર્ણયની સમીક્ષા કર્યા બાદ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સોમવાર સુધીમાં નવા વડાપ્રધાન અને નવી કેબિનેટની જાહેરાત કરી દેવામાં આવશે.
સિરીસેનાએ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરે છે પરંતુ વિક્રમસિંઘેને બીજી વખત દેશના વડાપ્રધાન બનાવવામાં આવશે નહીં.