શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ચારેતરફથી ઘેરાવ કર્યો છે.
શ્રીલંકામાં રસ્તા પર ઉતર્યા લોકો
રાષ્ટ્રપતિના નિવાસસ્થાને કર્યો ઘેરાવ
વિરોધ પ્રદર્શન જોઈ ઘર છોડી ભાગ્યા રાષ્ટ્રપતિ
શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ચારેતરફથી ઘેરાવ કર્યો છે. જે બાદ તેમને પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું હતું. આ અગાઉ પણ સમાચાર આવ્યા હતા કે, શ્રીલંકમાં ટોપના વકીલો, માનવાધિકાર ગ્રુપ અને રાજકીય પાર્ટીઓના સતત પ્રેશર બાદ પોલીસે શનિવારે સરકાર વિરોધી પ્રદર્શનો પહેલા કર્ફ્યૂ હટાવી દીધો હતો. આ કર્ફ્યૂ સરકાર વિરોધી પ્રદર્શનોને રોકવા માટે કોલંબો સહિત દેશના પશ્ચિમી પ્રાંતમાં સાત ડિવિજનમાં લગાવામાં આવ્યો હતો.
The intensity is really picking up with the protests outside the Galle International Stadium right now. Incredible scenes and a surreal backdrop to the Test match underway only a couple of hundred meters away #SLvAuspic.twitter.com/D46ziJeREF
પોલીસના જણાવ્યા અનુસાર પશ્ચિમી પ્રાંતમાં સાત પોલીસ ડિવિજનમાં કર્ફ્યૂ લગાવ્યો હતો, જેમાં નેગોંબો, કેલાનિયા, નુગેગોડા, માઉંટ લાવિનિયા, ઉત્તરી કોલંબો, દક્ષિણ કોલંબો અને કોલંબો સેન્ટ્રલનો સમાવેશ થાય છે. આ કર્ફ્યૂ શુક્રવાર રાતના નવ વાગ્યાથી આગામી સૂચના સુધી અમલમાં રહેશે. આઈજીપી સીડી વિક્રમરત્ને એ શુક્રવારે ઘોષણા કરી હતી કે, જે વિસ્તારમાં પોલીસ કર્ફ્યૂ લાગૂ કર્યો છે ત્યાં રહેનારા લોકોએ પોતાના ઘરોમાં જ રહેવું જોઈએ અને કર્ફયૂનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
A significant day ahead in Sri Lanka. Locals, denied public transport to Colombo for the major protest, are starting to gather outside of the stadium. There’s a much bigger group, about 500m down the road, protesting at the train station. pic.twitter.com/gHpfE045vT
શ્રીલંકાના બાર એસોસિએશને પોલીસ કર્ફ્યુનો વિરોધ કરતા તેને ગેરકાયદેસર અને મૌલિક અધિકારોનું હનન ગણાવ્યું હતું. બાર એસોસિએશને એક નિવેદનમાં કહ્યું છે કે, આ પ્રકારનો કર્ફ્યૂ સ્પષ્ટ રીતે ગેરકાયદે છે અને અમારા દેશના લોકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. જે પોતાના મૂળ અધિકારોની રક્ષા કરવામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમની સરકારની નિષ્ફળતાનો વિરોધ કરી રહ્યા છે. શ્રીલંકામાં માનવાધિકાર આયોગે પોલીસ કર્ફ્યૂને માનવિધાકારનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે.
Crowd swelling, they’re on the march past the ground and in the direction of the other group at the train station. pic.twitter.com/0qx9Jrx9l4