શ્રીલંકાના PM મહિંદા રાજપક્ષે 4 દિવસીય ભારતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદી અને વદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. મહિંદા સાથે થશે આ મહત્વનાં મુદ્દા પર ચર્ચા.
શ્રીલંકાના PM મહિંદા રાજપક્ષે 4 દિવસ માટે ભારતના પ્રવાસે
સુરક્ષા, વેપાર વાણિજ્ય અને દરિયા સુરક્ષા મુદ્દે ચર્ચા કરશે
કાશી વિશ્વનાથ, બોધગયા અને તિરૂપતિ બાલાજીના દર્શન કરશે
ભારત યાત્રા દરમિયાન 3200નું ઋણ આપવાનો વાયદો કર્યો હતો
શ્રીલંકા તથા ભારતની આ બેઠકમાં વેપાર, સમુદ્રી ક્ષેત્રે સુરક્ષા સહયોગ મુ્દ્દે ચર્ચા થશે. બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે ઉપ-ક્ષેત્રીય સમુદ્રી સુરક્ષા સહયોગ વધારવા મુદ્દે ચર્ચાં થશે. ભારત તરફથી શ્રીલંકાને મળનાર 3200 કરોડ રૂપિયાના ઋણની પ્રક્રિયાને પણ ગતિ મળે તેવી આશા મહિંદા રાજપક્ષે વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, PM મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિને ગત નવેમ્બરમાં ભારત યાત્રા દરમિયાન 3200નું ઋણ આપવાનો વાયદો કર્યો હતો.
કાશી વિશ્વનાથ, બોધગયા અને તિરૂપતિ બાલાજીના દર્શન કરશે
PM મહિંદા ભારતના આ પ્રવાસ દરમિયાન વારાણસી, સારનાથ, બોધ ગયાના ધાર્મિક સ્થળો સહિત તિરૂપતિ બાલાજીના પણ દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે રાજપક્ષે સરકારમાં 2 તમિલ મંત્રી ડગલસ દેવાનંદા અને અરમુગમ થોંદમનને પણ 10 સભ્યોનાં પ્રતિનિધિમંડળમાં સમાવેશ કરાયા છે.