શ્રીલંકા સરકારમાં મંત્રી અને ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ સોમવારે કહ્યું કે એમના દેશમાં મેચ ફિક્સિંગથી જોડાયેલા મામલાની તપાસ અને કાયદાકીય ડ્રાફ્ટ બનાવવામાં ભારત મદદ કરશે.
પેટ્રોલિયમ મંત્રી રણતુંગાએ કહ્યું કે ભારતની CBI શ્રીલંકા ક્રિકેટમાં મોટા પાયા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસમાં ટેકનીક વિશેષજ્ઞતા પૂરી કરી શકે છે.
રણતુંગાએ નવી દિલ્હીથી કોલંબો પરત ફર્યા બાદ કહ્યું 'અમારી પાસે આ સમસ્યાથી પૂરી રીતે નિપટવાની વિશેષત્રતા અથવા કાયદો નથી. ભારત એનાથી જોડાયેલી કાયદાકીય ડ્રાફ્ટ બનાવવામાં મદદ કરશે.'
CBI એ 2000માં રણતુંગા અને ટીમના ઉપકેપ્ટન અરવિંદ ડિ સિલ્વા પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો પરંતુ બાદમાં બંનેના આરોપ મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
શ્રીલંકાએ ક્રિકેટમાં જોડાયેલા ભ્રષ્ટાચારના મામલે ઉજાગર થયા બાદ વચન આપ્યું હતું કે મેચ ફિક્સિંહના આરોપોની તપાસ માટે વિશેષ પોલિસ એકમનું ગઠન કરવામાં આવશે. મેચ ફિક્સિંગના આ આરોપ મે મહિનામાં લગાવવામાં આવ્યા હતા.