શ્રીલંકામાં આર્થિક સંકટ તો સર્વત્ર વ્યાપી ગયું છે પરંતુ સાથે-સાથે શ્રીલંકામાં રાજકીય અસ્થિરતા પણ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે આ રાજકીય અસ્થિરતાની ઝલક રવિવારે મોડી રાત્રે જોવા મળી હતી કે જ્યારે કેબિનેટના તમામ મંત્રીઓએ PM મહિન્દા રાજપક્ષેને તેમના રાજીનામા સોંપ્યા. જો કે, અત્યાર સુધી પીએમએ રાજીનામું નથી આપ્યું પરંતુ તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધાં છે.
I have informed the sec. to the President of my resignation from all portfolios with immediate effect, in hope that it may assist HE & PMs decision to establish stability for the people & the govt of #LKA. I remain committed to my voters, my party & the people of #Hambanthota.
રાજીનામાની યાદીમાં પીએમના પુત્ર નમલ રાજપક્ષે પણ સામેલ છે કે જેઓએ તમામ પદને તુરંત છોડી દીધા છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે, મે તમામ વિભાગોમાંથી રાજીનામું આપી દીધું છે. તેની માહિતી રાષ્ટ્રપતિને પણ આપવામાં આવી છે. આશા છે કે, આ પગલાંથી દેશમાં સ્થિરતા પેદા થઇ જશે. એવાં પણ અહેવાલ છે કે, શ્રીલંકામાં ટૂંક સમયમાં સર્વપક્ષીય સરકાર રચાઈ શકે છે. આ સરકારમાં વિપક્ષના નેતાઓને પણ સામેલ કરવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી શકે છે.
Sri Lankan Prime Minister Mahinda Rajapaksa's son Namal Rajapaksa resigns from all his portfolios. pic.twitter.com/XG2RBeu4QF
જો કે, શ્રીલંકામાં લાદવામાં આવેલ 36 કલાકનો કર્ફ્યુ આજે સમાપ્ત થઈ ગયો છે. હિંસક વિરોધને જોતા સરકાર દ્વારા આ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. કર્ફ્યુ દરમિયાન નાગરિકોને કોઈ પણ પ્રકારના પ્રદર્શનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં ન હતી આવી. પરંતુ તેમ છતાં શ્રીલંકાના માર્ગો પર જોરદાર દેખાવો થયા, પોલીસે પણ ટીયર ગેસના શેલ છોડવા પડ્યાં. હજુ પણ સ્થિતિ તો તંગ જ છે. વિરોધ કરી રહેલા લોકો ન તો માત્ર સરકારના મંત્રીઓના રાજીનામાની માંગ કરી રહ્યાં છે, પરંતુ તેઓ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને પણ ટાર્ગેટ કરી રહ્યાં છે કે જેઓને આ આર્થિક સંકટ માટે જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે.
અનેક મોરચા પર પડકારો
આ સમયે શ્રીલંકા સામે અનેક મોરચે પડકારો ઉભા થયા છે. પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે પેપરની અછતના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી રહી છે. વીજળી બચાવવા માટે સ્ટ્રીટ લાઇટો પણ બંધ કરવામાં આવી રહી છે. આ બધા સિવાય શ્રીલંકામાં હવે ખાદ્ય પદાર્થોની પણ ભારે અછત સર્જાઇ છે. લોકો પાસે ભોજન નથી, રાંધણગેસ ઉપલબ્ધ નથી.
હાલમાં, ભારતે પણ મદદનો હાથ લંબાવ્યો છે. દેશમાંથી 40 હજાર ટન ચોખા મોકલવામાં આવી રહ્યાં છે, ડીઝલ સપ્લાય રિપેર કરવામાં પણ મોટી ભૂમિકા ભજવવામાં આવી રહી છે. ભારત પણ લોકોને જરૂરી દવાઓ પૂરી પાડવામાં સક્રિય ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યું છે.