શ્રીલંકામાં દૂધ પાવડર, ઓઈલ અને રસોઈ ગેસની દુકાનોની બહાર લાંબી-લાંબી લાંઈનો લાગી છે.
શ્રીલંકામાં કટોકટી જાહેર
જીવન જરૂરીયાતના સામાન માટે લોકોની લાઈનો
સરકારે આયાત પર લગાવી રોક
શ્રીલંકા હાલમાં મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે આર્થિક સંકટની વચ્ચે શ્રીલંકાએ ખાદ્ય સંકટને લઈને કટોકટી જાહેર કરી છે. સરકારે આ પહેલા ઘણી વસ્તુઓના આયાત પર રોલ લગાવી છે. લોકોએ શ્રીલંકામાં ખાવા-પીવાની વસ્તુઓનો સ્ટોક કરી લીધો છે. રાષ્ટ્રપતિ ગોટાબલા રાજપક્ષે ચીની, ચોખા અને અન્ય જરૂરી ખાદ્ય પદાર્થોની જમાખોરી રોકવા માટે નવા નિયમો લાગુ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે.
વિદેશી મુદ્રા ભંડારમાં પણ ભારે ઘટાડો
શ્રીલંકા વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડાના કારણે કૃષિ રસાયણો, કારો અને પોતાના મુખ્ય મસાલા હળદળની આયાતમાં પહેલા જ કાપ મુકી ચુક્યું છે. કોરોના મહામારીના કારણે શ્રીલંકા પોતાના દેવાને ચુકવવાનો પપ્રયત્ન કરી રહ્યું છે. શ્રીલંકાએ વ્યાપાર ઘાટાને ઓછો કરવા માટે ટૂથબ્રશ, સ્ટ્રોબેરી, વિનેગર, વેટ વાઈપ્સ અને ખાંડ સહિત કરોડો વિદેશથી આવતા સામાન પર પ્રતિબંધ કરવાનો નિર્ણ કર્યો છે. અથવા વિશેષ લાઈસન્સિંગ વ્યવસ્થા પણ લાગુ કરી છે.
કેરોસીન, રસોઈ ગેસ માટે લગાવી લાઈનો
મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ગોટાબયા રાજપક્ષે સેનાના એક મુખ્ય અધિકારીને ધાન, ચોખા, ખાંડ અને અન્ય જીવન જરૂરીયાતની વસ્તુઓની આપુર્તિ માટે સમન્વય માટે જરૂરી સેવાઓને આયુક્ત જનરલના રૂપમાં નિયુક્ત કર્યું છે. કટોકટી એલાન ખાંડ, ડુંગળી અને બટાકાની કિંમતોમાં ભારે વધારા બાદ કરવામાં આવ્યું છે. જ્યારે દૂધ પાઉડર, કેરોસિન અને રસોઈ ગેસની કમીના કારણે શ્રીલંકામાં દુકાનોની બહાર લાંબી લાઈનો લાગી છે.
કયા કારણે થઈ આવી હાલત?
હકીકતે શ્રીલંકાની આવકનો મુખ્ય શ્રોત પર્યટન ઉદ્યોગ છે પરંતુ કોરોના મહામારી વખતે પર્યટન પર ગ્રહણ લાગી ગયું છે. શ્રીલંકામાં આ ક્ષેત્ર સામાન્ય રીતે 30 લાખથી વધારે લોકોને રોજગાર આપે છે અને જીડીપીમાં તેની ભાગીદારી 5 ટકા કરતા વધારે છે. કોરોનાના કારણે પર્યટન ઉદ્યોગ ઠપ હોવાના કારણે શ્રીલંકાએ ભારે માત્રામાં વિદેશી લોન પણ લીધી છે.