ભયંકર સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકામાં સત્તા પરિવર્તન થયા બાદ પણ જનતાનો ગુસ્સો ઠંડો થવાનું નામ નથી લેતો, રાષ્ટ્રપતિ બાદ હવે શ્રીલંકાને નવા પ્રધાનમંત્રી પણ મળ્યા છે. બીજી બાજૂ સેનાએ રાષ્ટ્રપતિ સચિવાલયને પોતાનો કબ્જામાં લઈ લીધું છે.
શ્રીલંકાને નવા રાષ્ટ્રપતિ બાદ હવે નવા વડાપ્રધાન પણ મળ્યા
નવા રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ બાદ પણ લંકામાં પ્રદર્શન યથાવત
કોલંબોમાં સેનાએ રાષ્ટ્રપતિ સચિવાલયને પોતાના કબ્જામાં લીધું છે
શ્રીલંકાના વરિષ્ઠ નેતા દિનેશ ગુણવર્ધનને દેશના નવા પ્રધાનમંત્રી નિમણૂંક કર્યા છે. તેમણે આજે કોલંબોમાં ફ્લાવર રોડ સ્થિત પ્રધાનમંત્રી કાર્યાલયમાં નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. ગુણવર્ધને એપ્રિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના કાર્યકાળમાં બે વાર ગૃહમંત્રી રહી ચુક્યા છે. તેઓ વિદેશ મંત્રી અને શિક્ષણ મંત્રી તરીકે પણ પોતાની સેવાઓ આપી ચુક્યા છે. તો વળી શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ શુક્રવારે પોતાની કેબિનેટને શપથ લેવડાવ્યા હતા. વિક્રમસિંઘેના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રધાનમંત્રી પદ ખાલી થઈ ગયું હતું. 6 વાર પ્રધાનમંત્રી રહી ચુકેલા વિક્રમસિંઘેએ ગુરુવારે દેશના 8માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
#WATCH | Sri Lankan Army completely takes over the Presidential Secretariat in Colombo. Forensic and Crime Scene officers are present at the Secretariat. Huge security was deployed outside Galle Face. Military Armoured vehicles deployed near President's house. pic.twitter.com/GTRJiuy1Hr
વિક્રમસિંઘે દેશની સામે આવી રહેલા અભૂતપૂર્વ આર્થિક સંકટને દૂર કરવા માટે તમામ રાજકીય પાર્ટીઓને મળીને કામ કરવાનું આહ્વાન કર્યું છે. અહીં ઉલ્લેખનિય છે કે, ગુણવર્ધને સહિત કેબિનેટમાં તે નેતાઓ જ શામેલ છે, જે વિક્રમસિંઘેના કાર્યવાહક રાષ્ટ્રપતિ રહેવા દરમિયાન તેમના મંત્રીમંડળના સભ્યો હતા. તો વળી વિક્રમસિંઘેને રાષ્ટ્રપતિ બન્યા બાદ આશા સેવાઈ રહી છે કે, આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાના કારણે રાહત કરાર માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળની સાથે ચાલી રહેલી વાતચીતને વેગ મળશે.
श्रीलंका: सेना ने कोलंबो में श्रीलंका के राष्ट्रपति सचिवालय को पूरी तरह से अपने कब्जे में ले लिया है। pic.twitter.com/DKPwn2Avh5
આર્થિક સંકટથી ઘેરાયેલા શ્રીલંકામાં છેલ્લા કેટલાય દિવસથી પ્રદર્શન ચાલી રહ્યા છે. અહીં લોકોએ પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડવા પર મજબૂર કર્યા હતા. જે બાદ હવે રાનિલ વિક્રમસિંઘેને નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. પણ શ્રીલંકામાં પ્રદર્શન રોકાવાનું નામ નથી લેતું. લોકો હવે વિક્રમસિંઘે વિરુદ્ધ રસ્તાઓ પર ઉતર્યા છે. તેમનો આરોપ છે કે, રાજપક્ષે પરિવારના નજીક છે, જો કે વિક્રમસિંઘેને રાષ્ટ્રપતિ બન્યા બાદ હવે પ્રદર્શનકારીઓએ વિરોધ પ્રદર્શન એક્શન મોડમાં લાવી દીધું છે.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ સચિવાયલની બહાર છેલ્લા કેટલાય દિવસથી પ્રદર્શનકારીઓએ અડંગો જમાવીને બેઠા છે. જેમને ખદેડવા માટેનું કામ શરૂ થઈ ચુક્યું છે. કહેવાય છે કે, રાનિલ વિક્રમસિંઘેએ હિંસા અને ઉગ્ર પ્રદર્શન કરનારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ખાસ કરીને એ પ્રદર્શનકારીઓને ખદેડવાનું કામ જે રાષ્ટ્રપતિ ભવનની આસપાસ દેખાઈ રહ્યા છે. પોલીસે કેટલાય લોકોની ધરપકડ પણ કરી છે.