ગ્રાસ આઇલેટઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે રવિવારે કહ્યું કે શ્રીલંકના કેપ્ટન દિનેશ ચાંડીમલ પર વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં બોલની સ્થિતિમાં બદલાવ કરવાનો આરોપ છે. શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંડીમલ પર આઇસીસી આચાર સંહિતાના પ્રમાણ 2.2.9નુ ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ઉલ્લંઘન બોલની સ્થિતિ બલવાને લઇને છે. જે રીતે ઓસ્ટ્રેલિયાના બોલર કેમરન બૈનક્રોફ્ટ વિરૂદ્ધ માર્ચમાં દ.આફ્રીકા વિરૂદ્ધ બોવ પર સૈંડપેપરના ટુકડા ઘસવાનો આરોપ હતો.
જણાવી દઇએ કે ત્રીજા દિવસે એમ્પાયરોએ શ્રીલંકાના ખેલાડીઓને બોલને ખરાબ રીતે ચમકાવવાના કારમે પાંચ રન પેનલ્ટી અને બોલ બદલવાનો નિર્ણય લીધો હતો.
શ્રીલંકાના ખેલાડીઓએ એમ્પાયરોના નિર્ણયનો વિરોધ કરતા મેદાન પર ઉતરવાની મનાઇ કરી દીધી હતી અને મેચ મોડી શરૂ થઇ. રમત શરૂ થતા પહેલા કેપ્ટનને એમ્પાયરોની સાથે લાંબી ચર્ચા કરતા જોવામાં આવ્યો હતો. આ સિવાય ટીમ મેનેજમેન્ટ પણ મેચના અધિકારીઓ સાથે ચર્ચા કરતા નજરે ચડ્યા હતા અને રમત મોડી શરૂ થઇ હતી.
ત્યારબાદથી શ્રીલંકન કેપ્ટન દિનેશ ચાંડીમલની આગેવાનીમાં ટીમના મેદાન પર ઉતરવાથી મનાઇ કરી હતી. વેસ્ટઇન્ડીઝના શ્રીલંકાના 253 રનનો જવાબમાં પોતાની પહેલ ઇનિંગ્સ બે વિકેટ પર 118 રનથી આગળ વધારી હતી.