IPL 2021ની શરુઆતમાં હવે થોડા મહિનાનો સમય બાકી રહ્યો છે તે પહેલાથી વિવાદનાં વાદળો ઘેરાયા છે. હાલમાં થયેલ આઈપીએલની હરાજી બાદ ફ્રેન્ચાઈઝી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.
એક પણ સ્થાનીય પ્લેયરને ના સમાવવાથી નારાજ
વિધાયક આપી રહ્યાં છે ચેતવણી
મોહમ્મદ અઝરુદ્દીને પણ નારાજગી વ્યક્ત કરી
હૈદરાબાદ ટીમનાં માલિકને ચેતવણી
હૈદરાબાદે 18 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં થયેલ હરાજીમાં ફક્ત ત્રણ ખેલાડીઓને પોતાની સાથે જોડ્યા છે. પણ તેમ છતાં હૈદરાબાદની ટીમમાં કોઈ સ્થાનીય ખેલાડીઓ જોવા નથી મળ્યા જેનાં પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યાં છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિનાં વિધાયક અને પૂર્વ મંત્રી દાનમ નાગેંન્દ્રએ સીધાં હૈદરાબાદ ટીમનાં માલિક અને ટીમ મેનેજમેન્ટને ચેતવણી આપી દીધી છે.
આઈપીએલમાંથી નામ પાછુ ખેંચવા ધમકી
નાગેન્દ્રએ ટીમમાં હૈદરાબાદના કોઇ પણ ખેલાડીનો સમાવેશ ના કરવા પર વિરોધ દાખલ કર્યો છે. એક સ્થાનીય સમાચાર પત્ર સાથે વાત કરતા પૂર્વ મંત્રીએ કહ્યું કે, સનરાઇઝર્સ હૈદરાબાદે કોઈ પણ સ્થાનીય ખેલાડીની પસંદગી ટીમમાં નથી કરી તે ખૂબજ દુઃખદ કહેવાય. હૈદરાબાદમાં ટેલેન્ટની કોઈ પણ કમી નથી. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે શહેરનાં કોઈ સ્થાનીય ખેલાડીને ટીમમાં સમાવવો પડશે અથવા તો આઈપીએલમાંથી નામ પાછળ ખેંચવુ પડશે.
Very disappointed not to see a single player from Hyderabad in the Hyderabad Sunrisers Team #IPLAuction@SunRisers@IPL
ટીઆરએસનાં વિધાયકે ટીમ મેનેજમેન્ટને ચેતવણી આપીને કહ્યું કે જો સ્ક્વોડમાં શહેરનો ખેલાડી સામેલ નહીં થાય તો તેઓ અહીં એસઆરએચને કોઈ મેચ રમવા દેશે નહીં. આ અંગે નાગેંન્દ્ર પહેલા ભારતનાં પૂર્વ કેપ્ટન અને હૈદરાબાદ ક્રિકેટ સંઘનાં અધ્યક્ષ મોહમ્મદ અઝરુદ્દીને પણ નારાજગી વ્યક્ત કરી હતી, પૂર્વ ક્રિકેટરે ટ્વીટ કરીને એસઆરએચમાં કોઈ સ્થાનીય ખેલાડીને સ્થાન ના આપવા પર સવાલ ઉભો કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં હાલ 25 ખેલાડીઓ છે જેમાં ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, જોની બેરસ્ટો (વિકેટ કીપર), મનીષ પાંડે, ઋધિમાન સાહા (વિકેટકીપર), શ્રીવત્સ ગોસ્વામી(વિકેટકીપર), પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, વિરાટ સિંહ, મિચેલ માર્શ, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, વિજય શંકર, અભિષેક શર્મા, કેદાર જાધવ, રાશિદ ખાન, શાહબાઝ નદીમ, જે સુચિતસ મુજીબ ઉર રહેમાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.