કોરોના વાયરસની બીજી લહેરમાં દેશ પાસે વેક્સિન રૂપી રાહત છે ત્યારે ભારત સરકારનું કહેવું છે કે વધુમાં વધુ લોકોને વેક્સિન આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.
10 દિવસમાં ભારત પહોંચશે સ્પુટનિક
એપ્રિલના અંત સુધી રસી ભારત આવી જશે
મે મહિનાથી શરૂ થશે રસીનું ઉત્પાદન
દર મહિને 5 કરોડ ડોઝનું ઉત્પાદનનો લક્ષ્યાંક
એપ્રિલના અંતમાં ભારત પહોંચશે રશિયાની રસી સ્પુટનિક V
ભારતમાં કોરોના વાયરસની રસીના ઉત્પાદનમાં સતત તેજી લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી 10 દિવસમાં ભારત પહોંચશે રશિયાની રસી સ્પુટનિક વી. ભારતીય રાજદૂત બાલા વેંકટેશ વર્માએ આપેલી જાણકારી અનુસાર એપ્રિલ મહિનાના અંત સુધી સ્પુટનિક રસી ભારત પહોંચી જશે અને મે મહિનાથી ભારતમાં સ્પુટનિકનું ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવશે.
રશિયાની રસીની કિંમતને લઇ ચર્ચા ચાલુ
આ અંગે માહિતી આપતા ભારતીય રાજદૂત બાલા વેંકટેશ વર્માએ કહ્યું કે દર મહિને ભારતમાં સ્પુટનિક રસીના પાંચ કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. ખાસ વાત એ છે કે સ્પુટનિક V ભારતમાં ઉપયોગમાં લેવાનાર ત્રીજી વેક્સિન હશે. જ્યારે કોરોના વાયરસ સામે રશિયાની વેક્સિન સ્પુટનિકને મંજૂર આપનાર ભારત 60મો દેશ બની ગયો છે. એટલું જ નહીં સ્પુટનિક રસીના ઇમરજન્સી ઉપયોગ માટે પણ રજિસ્ટર કરી દેવામાં આવ્યું છે તો રસીની કિંમત અંગ પણ ચર્ચા ચાલી રહી છે. હાલ ભારતમાં સીરમ અને ભારત બાયોટેકની રસીને ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે...
વેક્સિનેશન વધારવામાં આવશે
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુમાં વધુ લોકોને વેક્સિન આપવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે પહેલી મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.
ભારતમાં બીજી લહેર બની કહેર
ભારતમાં માર્ચ મહિનાથી સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ દિવસને દિવસે ખૂબ જ કથળી રહી છે અને જુદા જુદા રાજ્યોમાં હોસ્પિટલો અને સ્મશાનોમાં જગ્યા નથી. એવામાં દરરોજ કોરોના વાયરસની કેસની સંખ્યામાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં 21મી એપ્રિલ, 2021ના આંકડા અનુસાર 2,59,170 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 1,761 મોત થઈ છે. આ સિવાય એક દિવસમાં 1,54,761 લોકો સાજા થયા છે.
વેક્સિનનો વેડફાટ ચિંતાનો વિષય
કોરોના વાયરસના કારણે દેશમાં બીજી લહેર ચાલી રહી છે અને બીજી લહેરમાં સતત વધી રહેલા કેસની વચ્ચે હાહાકાર જેવી પરિસ્થિતિ છે. જોકે બીજી લહેરમાં દેશ પાસે વેક્સિન રૂપી રાહત છે ત્યારે ભારત સરકારનું કહેવું છે કે વધુમાં વધુ લોકોને વેક્સિન આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે વેક્સિનના ડોઝના વેડફાટ અંગે જે માહિતી સામે આવી છે તે ચોંકાવનારી છે.
કેટલાય રાજ્યો એવા જ્યાં પા ભાગની વેક્સિન વેડફાઇ ગઈ
RTIમાં સામે આવ્યું છે કે રાજ્યોને આપવામાં આવેલ 10.34 કરોડ ડોઝમાંથી 44.78 લાખ ડોઝ વેડફાઇ ગયા છે. આટલું જ નહીં મીડિયા આવેલ અહેવાલ અનુસાર 11 એપ્રિલ સુધીમાં દેશના કુલ વેક્સિનના ડોઝમાંથી કેટલાય એવા રાજ્યો છે જ્યાં 23% ડોઝ તો બરબાદ થઈ ગઈ છે. સૌથી વધારે વેક્સિનનો વેડફાટ તામિલનાડુ, હરિયાણા, પંજાબ, મણિપુર તથા તેલંગાણામાં થયો છે.