ઘરના વાસ્તુનો તમારા જીવન પર ખુબ મોટો પ્રભાવ પડે છે, ઘરના વાસ્તુમાં જો દોષ હોય તો તેની સીધી અસર તમારા જીવન પર પડે છે. ઘરમાં શૌચાલયનું સ્થાન પણ મહત્વનો ભાગ ભજવે છે અને શૌચાલયમાં કેટલાક પ્રકારના દોષને વાસ્તુદોષ માનવામાં આવે છે જેના કારણે તમારુ જીવન અસ્તવ્યસ્ત થઇ શકે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા જીવન પર અસર
ઇશાન ખુણામાં દેવતાઓનો વાસ હોય છે
શૌચાલયના કારણે તમારા અંગત જીવનમાં આવી શકે તણાવ
ઇશાન ખુણામાં શૌચાલય
ઇશાન ખુણામાં દેવતાઓનો વાસ માનવામાં આવ્યો છે. જો ઇશાન ખુણામાં શૌચાલય બનાવવામાં આવે છે તો ઘરમાં કંકાસ રહે છે. તમારા કારખાના કે ઑફિસમાં પણ જો આ ખુણામાં શૌચાલય હોય તે લોકો અંદરોઅંદર લડવા લાગે છે. આવી સ્થિતિમાં માણસો ડિપ્રેશનનો ભાગ બનવા લાગે છે.
રસોડુ અને શૌચલાય સામસામે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડુ અને શૌચાલય ક્યારેય સામ સામે ન હોવા જોઇએ. શૌચાલય હંમેશા પશ્ચિમ અને દક્ષિણ દિશામાં હોવું જોઇએ. જો તમારા ઘરમાં જગ્યાના અભાવને કારણે શૌચાલય અને બાથરૂમ એક જ દિશામાં હોય તો તેને ઇશાન ખુણામાં ન બનાવો.
આ દિશામાં હોવી જોઇએ બારી
બાથરૂમમાં બારી પૂર્વ દિશા તરફ હોવી જોઇએ. સ્નાન કરતા સમયે વ્યક્તિનું મોઢુ પૂર્વ તરફ હોવું જોઇએ. દક્ષિણ અને પશ્ચિમ તરફ મોઢુ હોવાને કારણે વ્યક્તિ અનેક પ્રકારની બિમારીઓથી ઘેરાય જાય છે. જો બાથરૂમ પશ્ચિમ દિશામાં હોય તો પતિ-પત્ની કોઇ કારણ વગર લડ્યા કરે છે અને વિવાદના કારણે તેઓને ડિપ્રેશનનો સામનો કરવો પડે છે.
ઘરમાં પાણીનું સ્થાન
શાસ્ત્રો અનુસાર ઘરમાં પાણીનું સ્થાન ઇશાન ખૂણામાં ઇત્તર કે પૂર્વ કોઇ પણ દિશામાં હોઇ શકે છે પરંતુ પાણીને ભૂલથી પણ આગ્નેય ખુણામાં ન રાખો. આગ્નેય ખુણામાં જળનો સ્તોત્ર હોવાથી પુત્રનો નાશ થવાની આશંકા રહે છે. ધનનો નાશ થાય છે અને તેના કારણે ડિપ્રેશનનો સામનો કરવો પડી શકે છે.