ICC ક્રિકેટ વર્લ્ડ કપ આ વર્ષે મેમાં ઇગ્લેન્ડમાં રમાશે. તમામ ટીમ આ મહાકુંભ માટે તૈયારીમાં લાગી ગઇ છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીની હેઠળની ટીમ ઇન્ડિયા પર આ વખતે દેશવાસીઓને પૂરો વિશ્વાસ છે. ટીમ ઇન્ડિયા થોડા સમય પહેલા કરેલા ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસના શાનદાર પ્રદર્શન પછી ક્રિકેટ જગતના દિગ્ગજોએ ખૂબ જ વખાણ કર્યા છે. ટીમ ઇન્ડિયાના પ્રદર્શન જોઇને ઘણા પૂર્વ ક્રિકેટરોએ આ વર્લ્ડ કપ માટે ટીમને પ્રબળ દાવેદાર ગણી છે. જોકે પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગવાસ્કરની નજરે ટીમ ઇન્ડિયા નહીં પરંતુ ઇંગ્લેન્ડની ટીમ મજબૂત દાવેદાર છે.
ગવાસ્કરે એક ઇન્ટવ્યૂમાં કહ્યુ કે ''વર્લ્ડ કપમાં મજબૂત દાવેદાર ઇંગ્લેન્ડ છે એટલા માટે નહી કે ઇંગ્લેન્ડ માટે ઘરેલૂ વર્લ્ડ કપ હશે પરંતુ તેમણે એકદિવસીય ક્રિકેટને લઇને પોતનો નજરિયો બદલી દીધો છે ઇંગ્લેન્ડની ટીમ 2015માં વર્લ્ડ કપ લીગમાં બાંગ્લાદેશ વિરુદ્ઘ હારી ગઇ હતી. પરંતુ ત્યારથી પોતાની રમત બદલી અને જે રીતે પોતાની ટીમને પસંદ કરી તેનાથી ઇંગ્લેન્ડની ટીમ મજબૂત થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડની પાસે સારી સલામી જોડી છે તેમની પાસે મજબૂત મિડલ ઓર્ડર છે. આ સિવાય તેમની પાસે એક સારો ઑલરાઉન્ડર પણ છે. જ્યારે તમે ઘરેલૂ મેદાન પર રમો ત્યારે ટીમ માટે બેનિફિટ પણ છે.''
જોકે ગવાસ્કરને તેમ પણ લાગે છે કે ટીમ ઇન્ડિયા સતત ઇંગ્લેન્ડમાં 2 વર્ષથી રમી રહી છે જેના કારણે ફાયદો મળી શકે છે. ટીમ ઇન્ડિયાએ જ્યાં ઇંગ્લેન્ડમાં 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી રમી ત્યારે 2018માં એક સીરિઝ (T-20 વન ડે ટેસ્ટ). ગવાસ્કરે તેમ પણ કહ્યુ કે ''ટીમ ઇન્ડિયા માટે ફાયદારૂપ છે કેમકે તેણે સતત 2 વર્ષ 2017 - 2018માં ઇંગ્લેન્ડમાં રમ્યા. આ માટે જે ખિલાડીઓ વર્લ્ડ કપ ટીમમાં ભાગ લેશે તેઓ પરિસ્થિતિથી જાણકાર હશે. આ માટે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ પોતાના નામે કરવા માટે આ ફેક્ટરનો ઉપયોગ કરી શકે છે. પરંતુ મારા મતે સૌથી પ્રબળ દાવેદાર ઇંગ્લેન્ડ છે તે પછી ટીમ ઇન્ડિયા.''