IPLની શરૂઆત થઇ ચૂકી છે. તાજેતરમાં રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે રમાયેલી મેચમાં અમ્પાયરના ખોટા નિર્ણયના કારણે વિરાટની સેનાએ મેચમાંથી હાથ ગુમાવો પડ્યો હતો. જોકે હવે આ પાછળનો એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે.
મુંબઇ અને બેંગ્લોરની વચ્ચે રમાયેલી મેચમાં ખોટો નિર્ણય લેવાના કારણે અમ્પાયર સુંદરમ રવિ પર કાર્યવાહી થવાની સંભાવના ઓછી લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઇ- બેંગ્લોરની વચ્ચેમાં અમ્પાયરને નૉ બૉલ આપ્યો ન હતો.આ કારણે મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના જીતવાના ચાન્સીસ વધી ગયા અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ ગુમાવી પડી.
ICCના એલીટ પેનલમાં એકમાત્ર ભારતીય અમ્પાયર રવિ મુંબઇના બૉલર લસિથ મંલિગાની મોટો નૉ બોલ ના જોઇ શક્યા અને વિવાદસ્પદ પરિસ્થિતિમાં બેંગ્લોરની ટીમ 6 રનથી મેચ હારી ગઇ. આ મામલામાં અમ્પાયર્સની આલોચના પણ થવા લાગી. એવામાં ખબર સામે આવી કે કેપ્ટન વિરાટ કોહલી અમ્પાયરના રૂમમાં જઇને અપશબ્દો પણ બોલ્યા.
મેચ ખત્મ થયા પછી કેપ્ટન કોહલી ખૂબ જ નારાજ જોવા મળ્યો. કોહલીએ મેચ પછી IPLમાં એમ્પાયરની આંખો ખુલ્લી રાખવાની સલાહ આપી. રોહિત શર્માએ પોતે આ મેચના બીજા અમ્પાયર સી નંદનની ટીકા કરી. રોહિતે કહ્યુ કે, ''આ જ રીતે ક્રિકેટ શર્મસાર થઇ રહ્યુ છે.''
આ સાથે જ IPLના અધિકારીએ જણાવ્યુ કે, નૈયરની રિપોર્ટમાં વધારે ટીકા કરવામાં આવી નથી. કોહલી નારાજ થયો અને તેણે રવિને કહ્યુ કે, નૉ બોલ ના આપવા તેમની ટીમ માટે મોંઘુ સાબિત થઇ શકે છે. રવિએ આ બાબતે દુ:ખી થઇને કહ્યુ કે, આ સમયે નિર્ણય યોગ્ય ના લીધો.
અધિકારીએ જણાવ્યુ કે, નૈયરની રિપોર્ટમાં ટીકા નથી કરવામાં આવી અને કેમકે આ દબાણની સ્થિતિમાં માનવીય ચૂક હતી. આ સિવાય રિપોર્ટને ખારિજ પણ કરતા કહ્યુ કે, કોહલીએ રવિની ફરિયાદ માટે મેચ રેફરીને રૂમમાં ગયો હતો તે વાત ખોટી છે.''