એમ.એસ.કે પ્રસાદની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સીનિયર ચયન સમિતિને વિક્રમ રાઠોડને ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
પૂર્વ ભારતીય સલામી બેટ્મસેન વિક્રમ રાઠોડ હવે સંજય બાંગરની જગ્યા લઇ શકે છે, જ્યારે ભરત અરૂણ અને આર.શ્રીધર પોતાના પદ પર જ રહેશે તેવુ લગભગ નક્કી છે.
બેટિંગ કોચ માટે વિક્રમ રાઠોડ સિવાય માર્ક રામપ્રકાશને પણ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ વિક્રમ રાઠોડ પહેલી પસંદ માનવામાં આવી રહ્યા છે. 50 વર્ષીય વિક્રમ રાઠોડે 1996-1997ની વચ્ચે ભારત માટે 6 ટેસ્ટ અને 7 વનડે રમી છે. વિક્રમ રાઠોડે 7 વનડે મેચમાં 193 રન અને 6 ટેસ્ટ મેચમાં 131 રન કર્યા હતા. એટલે કે કુલ મળીને વિક્રમ રાઠોડને 13 ઇન્ટરનેશનલ મેચનો અનુભવ છે.
જો એવામાં તેઓ ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બને છો, તો વિરાટ એનો રોહિત જેવા ખિલાડીઓને બેટિંગ કોચિંગ આપશે. વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો 387 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે, જ્યારે રોહિત શર્મા પોતે 341 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.
વિક્રમ રાઠોડે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 146 મેચમાં 49.66ની એવરેજથી 11473 રન કર્યા છે. લિસ્ટ A ક્રિકેટમાં તેણે 99 મેચ રમતા લગભગ 3000 રન કર્યા છે. વર્ષ 2003માં તેમણે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. પંજાબના પૂર્વ ખિલાડીએ થોડ સમય સુધી ઓડિશામાં વાઇઝૈગ વિક્ટર્સ ટીમને પણ કોચિંગ આપી હતી.
વિક્રમ રાઠોડે થોડા વર્ષ પહેલા 2016માં સંદીપ પાટિલ નેતૃત્વવાળી સીનિયર ચયન સમિતિના સભ્ય રહ્યા હતા. વિક્રમ રાઠોડે પહેલા NCA બેટિંગ સલાહકાર અને અંડર 19 બેટિંગ કોચ માટે અરજી કરી હતી, પરંતુ તેમની અરજી રોકીના રાખી હતી કેમકે તેમના સંબંધી આશિષ કપૂર અંડર 19 ચયન સમિતિના અધ્યક્ષ છે.
ચયન સમિતિએ પોતાના BCCI ઑફિસમાં ટીમના સપોર્ટ સ્ટાફ પસંદ કરવા માટે દાવેદારોને બોલાવ્યા હતા.એમ.એસ.કે પ્રસાદની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સીનિયર ચયન સમિતિમાં પ્રસાદ સિવાય, શરણદીપ સિંહ, ગગન ખોડા અને જતિન પરાંજપે શામેલ હતા, જ્યારે દેવાંગ ગાંધીએ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી ભાગ લીધો.
સમિતિએ બેટિંગ કોચ માટે 14 દાવદારો, બૉલિંગ કોચ માટે 12, ફિલ્ડિંગ કોચ માટે 9, ફિઝિયોથેરેપિસ્ટ માટે 16, સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ માટે 12 અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજર માટે 24 ઉમેદવારોને બોલાવ્યા હતા.
સોમવારથી શરૂ થયેલા આ ઇન્ટરવ્યૂ ગુરુવાર સુધી ચાલ્યા. ચયન સમિતિએ બૉલિંગ કોચ માટે અરૂણ સિવાય પારસ મ્હામ્બ્રે અને વેંકટેશ પ્રસાદને શોર્ટલિસ્ટ કર્યા. પરંતુ માનવામાં આવી રહ્યુ છે, અરૂણ પોતાના પદ પર રહેશે. આ સિવાય ફિલ્ડિંગ કોચ માટે શ્રીધર સિવાય અભય શર્મા અને ટી.દિલીપના નામોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ ત્યાં શ્રીધર પોતાના પદ પર રહેશે તેવી આશા છે.
અરૂણ બૉલિંગ કોચ બની રહેશે તે પહેલાથી નક્કી હતુ. ત્યારે ફિલ્ડિંગ કોચ આર.શ્રીધરની ટીમ સાથે બની રહેવાની સંભાવના હતી. પૂર્વ બેટ્સમેન પ્રવીણ આમરેએ પણ બેટિંગ કોચ માટે અરજી કરી હતી, પરંતુ વિક્રમ રાઠોડ સિલેક્ટર્સની પહેલી પસંદ માનવામાં આવી રહ્યા છે.