બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 અને ટેસ્ટ બાદ રોહિત શર્મા વનડે માંથી ક્યારે નિવૃત્તિ લેશે?, કોચે કર્યો મોટો ખુલાસો

સ્પોર્ટ્સ / T20 અને ટેસ્ટ બાદ રોહિત શર્મા વનડે માંથી ક્યારે નિવૃત્તિ લેશે?, કોચે કર્યો મોટો ખુલાસો

Last Updated: 02:41 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતને T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાવનાર રોહિત શર્મા હવે T20 પછી ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેની વનડેમાંથી નિવૃત્તિ અંગે પણ અટકળો ચાલી રહી છે. તે વચ્ચે તેના બાળપણના કોચે આ મામલે એક મોટો ખુલાસો કર્યો છે.

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા. અગાઉ T20 વર્લ્ડ કપ જીત્યા પછી રોહિતે T20I માંથી નિવૃત્તિ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી હવે તેનું ધ્યાન ફક્ત વનડે ક્રિકેટ પર છે. આ દરમિયાન એવી અટકળો ચાલી રહી છે કે શું તે ODI માંથી પણ નિવૃત્તિ લેશે પરંતુ તેના બાળપણના કોચે આ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી એવી અટકળો ચાલી રહી હતી કે રોહિત શર્મા વનડેમાંથી નિવૃત્તિ લેશે પરંતુ તેણે આમ કર્યું નહીં. હવે રોહિતના કોચ દિનેશ લાડે હિટમેનના ભવિષ્ય વિશે એક મોટો ખુલાસો કર્યો છે.

રોહિતનું બાળપણનું સ્વપ્ન

ટીમ ઈન્ડિયાના વનડે કેપ્ટન રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે. તેનું સ્વપ્ન 2027નો ODI વર્લ્ડ કપ જીતવાનું છે. આ વાતનો ખુલાસો તેમના કોચ દિનેશ લાડે કર્યો છે. રોહિતના કોચે કહ્યું "હિટમેનનું લક્ષ્ય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હતું પરંતુ કમનસીબે ટીમ ઈન્ડિયા તેના માટે ક્વોલિફાય થઈ શકી નહીં. હવે 2027 માં વર્લ્ડ કપ છે. રોહિત તેને જીતવા માંગે છે. હું પણ ઈચ્છું છું કે તે 2027 માં વર્લ્ડ કપ જીતે અને પછી નિવૃત્તિ લે." તમને જણાવી દઈએ કે ઓક્ટોબર અને નવેમ્બર 2027 માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં ODI વર્લ્ડ કપ રમવાનો છે. દિનેશ લાડે કહ્યું, "ટેસ્ટ ક્રિકેટમાંથી રોહિતની નિવૃત્તિ એ તેની ODI કારકિર્દીને લંબાવવાનો વ્યૂહાત્મક નિર્ણય છે".

ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નથી

આ દિગ્ગજ બેટ્સમેનના કોચે કહ્યું "રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય ઉતાવળમાં લીધો ન હતો. તે T20 વર્લ્ડ કપ પછી T20 રમવા માંગતો ન હતો. પરંતુ ટેસ્ટ અને ODI રમવાનો નિર્ણય તેનો હતો. રોહિતે સારી રીતે વિચાર્યું હશે કે તેના માટે શું શ્રેષ્ઠ છે". ઇંગ્લેન્ડ પ્રવાસ અંગે દિનેશ લાડે કહ્યું "ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણયનો ઇંગ્લેન્ડના આગામી પ્રવાસ સાથે કોઈ સંબંધ નથી. રોહિતનો વિચાર યુવાનોને તકો આપવાનો રહેશે જેમ તેણે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ પછી કર્યું હતું".

Vtv App Promotion

એક યાદગાર ક્ષણ શેર કરી

રોહિતના કોચે પોતાની યાદગાર ક્ષણ શેર કરતા કહ્યું, "જ્યારે રોહિતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી તે મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી. રોહિત શર્માએ 2013માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે 177 રન બનાવ્યા હતા. કોચે કહ્યું, "આ રોહિતની વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ સદી હતી." આ બંને અમારી પ્રિય ટેસ્ટ ઇનિંગ્સ છે.”

આ પણ વાંચો: IPL સસ્પેન્ડ થતા ઇમોશનલ થયા આ ખેલાડીઓ, વંદે ભારતમાં મુસાફરી દરમ્યાન છલક્યું દર્દ

રોહિતની ટેસ્ટ કારકિર્દી આવી રહી છે

રોહિતે પોતાની કારકિર્દીમાં 67 ટેસ્ટ મેચ રમી છે. રોહિતે ૧૧૬ ઇનિંગ્સમાં 4302 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમનો સર્વોચ્ચ સ્કોર 212 રન હતો. રોહિતે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 18 અર્ધશતક, 12 સદી અને એક બેવડી સદી ફટકારી હતી. રોહિતે પોતાની કારકિર્દીની પહેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી.

રોહિત 2010 માં નાગપુરમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કરવાનો હતો, પરંતુ તે મેચમાં ટોસ પહેલા તેને એક વિચિત્ર ઈજા થઈ હતી. આ પછી તેનું ટેસ્ટ ડેબ્યૂ ત્રણ વર્ષ પછી થયું. તેણે 2013માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની પહેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી. મુંબઈમાં પોતાની આગામી ટેસ્ટમાં તેણે બીજી સદી ફટકારી હતી. તે જ સમયે, રોહિતે તેની છેલ્લી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર 2024 ના રોજ ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Test Match Retirement Rohit Sharma ODI World Cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ