બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / વિમાન દુર્ઘટના પર ભાવુક થયો કોહલી, હાર્દિક પંડ્યા-રોહિત શર્માએ પણ વ્યક્ત કર્યો શોક
Last Updated: 09:15 AM, 13 June 2025
Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાની બે મિનિટમાં જ વિમાન ક્રેશ થઈ ગયું. વિમાન જ્યાં ક્રેશ થયું તે જગ્યાએ કાળો ધુમાડો ખૂબ ઊંચાઈ સુધી ઉડતો જોવા મળ્યો. આ દુ:ખદ અકસ્માત પર ક્રિકેટ જગત પણ શોકમાં છે. આ દુર્ઘટના પર વિરાટ કોહલીની પ્રતિક્રિયા સામે આવી છે. કોહલીએ કહ્યું કે તે આ ઘટનાથી સંપૂર્ણપણે સ્તબ્ધ છે.
ADVERTISEMENT
વિમાન દુર્ઘટના પર કોહલીએ શું કહ્યું?
ADVERTISEMENT
વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને અમદાવાદમાં તઃયેલી વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેણે લખ્યું, "આજે અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું સંપૂર્ણપણે સ્તબ્ધ છું. હું આ દુર્ઘટનાના પીડિતો માટે પ્રાર્થના કરું છું અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું."
ADVERTISEMENT
રોહિતે વ્યક્ત કર્યું દુઃખ
ભારતની ODI ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને અમદાવાદ વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેણે લખ્યું, "અમદાવાદથી ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ અને તેમના પરિવારો માટે હું પ્રાર્થના કરું છું."
ADVERTISEMENT
I am utterly shocked and deeply anguished to learn about the tragic Air India plane crash in Ahmedabad. My thoughts and prayers go out to all the victims and their families who are enduring unimaginable pain and loss. In moments like these, words feel so inadequate, but I hope…
— Harbhajan Turbanator (@harbhajan_singh) June 12, 2025
પૂર્વ સ્પિન બોલર હરભજન સિંહે પણ આ અકસ્માત અંગે ટ્વિટ કર્યું. તેણે કહ્યું કે તે અમદાવાદમાં થયેલી આ વિમાન દુર્ઘટનાથી સંપૂર્ણપણે સ્તબ્ધ અને દુઃખી છે.
ADVERTISEMENT
Deeply saddened by the Air India flight crash in Ahmedabad today. Prayers for the passengers, crew, and their families.
— Irfan Pathan (@IrfanPathan) June 12, 2025
ઇરફાન પઠાણે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઇરફાન પઠાણે લખ્યું- આજે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાથી મારું દિલ ખૂબ જ દુઃખી છે. હું બધા મુસાફરો, ક્રૂ સભ્યો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરું છું.
ADVERTISEMENT
Very shocked to hear about the #AirIndia Ahmedabad-London flight incident near Ahmedabad airport. Praying for the safety of all passengers and crew. 🙏#PlaneCrash #Ahmedabad
— Yusuf Pathan (@iamyusufpathan) June 12, 2025
યુસુફ પઠાણે લખ્યું- અમદાવાદ એરપોર્ટ નજીક અમદાવાદ-લંડન ફ્લાઇટની ઘટના અંગે સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. હું બધા મુસાફરો અને ક્રૂની સલામતી માટે પ્રાર્થના કરું છું.
Extremely saddened by the tragic crash in Ahmedabad. Our thoughts and prayers are with everyone affected by this catastrophe.
— Gautam Gambhir (@GautamGambhir) June 12, 2025
ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ગંભીરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'અમદાવાદમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. આ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સાથે અમારી સંવેદના અને પ્રાર્થનાઓ છે.'
What happened today in Ahmedabad is extremely tragic and left me very sad. Life is so precious, my heart goes out to all the families affected by the incident. May the souls of the departed rest in peace and may the almighty provide strength to families, friends and loved ones in…
— Mohammed Siraj (@mdsirajofficial) June 12, 2025
આ અકસ્માત અંગે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે X પર લખ્યું, 'આજે અમદાવાદમાં જે બન્યું તે દુઃખદ છે અને હું તેના માટે ખૂબ જ દુઃખી છું. જીવન ખૂબ જ કિંમતી છે, આ ઘટનાથી પ્રભાવિત તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે. ઉપરાંત, આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારો, મિત્રો અને પ્રિયજનોને શક્તિ આપે.'
Heartbroken beyond words to learn about the Air India tragedy in Ahmedabad.
— Virrender Sehwag (@virendersehwag) June 12, 2025
Prayers and thoughts are with everyone affected by it 🙏🏼
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે લખ્યું, 'આ વિમાન દુર્ઘટના વિશે જાણીને દિલ તૂટી ગયું. આ ભયાનક ઘટનાથી પ્રભાવિત તમામ લોકો માટે મારી ઊંડી સંવેદના અને પ્રાર્થના.'
Heartbreaking to hear about the crash in Ahmedabad. Prayers and strength to the families of those affected 🙏🏻
— hardik pandya (@hardikpandya7) June 12, 2025
હાર્દિક પંડ્યાએ X પર લખ્યું, 'અમદાવાદમાં થયેલા અકસ્માત વિશે સાંભળીને દિલ તૂટી ગયું. અસરગ્રસ્ત પરિવારો માટે પ્રાર્થના અને તેમને શક્તિ મળે તેવી પ્રાર્થના.'
Deeply saddened by the tragic plane crash in Ahmedabad today. My heartfelt prayers go out to the families and loved ones of those affected. May they find strength in this time of immense grief.
— Sourav Ganguly (@SGanguly99) June 12, 2025
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ આ અકસ્માતથી ખૂબ જ દુઃખી છે. સૌરવ ગાંગુલીએ X પર લખ્યું, 'અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. મારી પ્રાર્થનાઓ અસરગ્રસ્ત પરિવારો અને પ્રિયજનો સાથે છે. ભગવાન આ દુઃખની ઘડીમાં તેમને શક્તિ આપે.'
આ પણ વાંચો: 'જાઓ, પિતાની જેમ ઓટો ચલાવો', મોહમ્મદ સિરાજે જણાવ્યું કેવી રીતે લોકો મારતા હતા ટોણો
2 મિનિટમાં જ ક્રેશ થયું વિમાન
એર ઈન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જવા રવાના થયું હતું. વિમાન ઉડાન ભરતાની સાથે જ તેનું સંતુલન ખોરવાઈ ગયું અને બે મિનિટમાં જ વિમાન ક્રેશ થઈ ગયું. વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાં જોરદાર વિસ્ફોટ સંભળાયો અને થોડીવારમાં જ બધે કાળો ધુમાડો ફેલાઈ ગયો. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171, જે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતી તે આગનો ગોળો બની ગઈ. અંધાધૂંધી મચી ગઈ અને થોડી જ વારમાં અનેકો જીવ રાખ થઈ ગયા. આ વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી ફક્ત એક જ મુસાફર બચી ગયો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.