બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ કોહલી ટેસ્ટમાંથી નિવૃત્તિ પરત ખેંચશે? પ્રેમાનંદ મહારાજની વાત માનશે?
Last Updated: 06:31 PM, 13 May 2025
ભારતીય ક્રિકેટને એક મોટો ફટકો પડ્યો છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે મંગળવારે પ્રેમાનંદ મહારાજના આશ્રયમાં પહોંચ્યા હતા. વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજનો મોટો ભક્ત છે. તે અવાર નવાર મહારાજના આશીર્વાદ લેવા માટે જાય છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદના આશ્રમમાં લગભગ 2 કલાક રોકાયા હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રેમાનંદ મહારાજ સાથેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન વિરાટ કોહલીના હજારો ચાહકોએ પ્રેમાનંદ મહારાજને વિનંતી કરવાનું શરૂ કર્યું કે તેઓ વિરાટને ટેસ્ટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવા માટે મનાવી લે.
ADVERTISEMENT
સંત પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા વિરાટ કોહલી-અનુષ્કા, કર્યા વંદન, મેળવ્યું જ્ઞાન#premanandjimaharaj #ViratKohli𓃵 #AnushkaSharma #Vrunadavan #VTVDigital pic.twitter.com/QWCi37LZmm
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 13, 2025
તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા વૃંદાવન પહોંચ્યા હોય. વર્ષ 2023 ની શરૂઆતમાં અને આ વર્ષે જાન્યુઆરીમાં, બંને વૃંદાવન પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.
ADVERTISEMENT
Virat Kohli & Anushka Sharma से पूज्य महाराज जी की क्या वार्तालाप हुई ? Bhajan Marg pic.twitter.com/7IWWjIfJHB
— Bhajan Marg (@RadhaKeliKunj) May 13, 2025
વિરાટ કોહલીની નિવૃત્તિને લઈને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. વિરાટ કોહલીના ચાહકો આ સ્ટાર બેટ્સમેનને નિવૃત્તિ પાછી ખેંચવા વિનંતી કરી રહ્યા છે. હવે કેટલાક ચાહકોએ આ માટે પ્રેમાનંદ મહારાજને અપીલ કરી છે, કારણ કે વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજનો મોટો ભક્ત છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ગુરુજી, તમે કૃપા કરીને વિરાટને તેની નિવૃત્તિ પાછી લેવાનું સમજાવો. અન્ય એક યુઝરે કહ્યું, ભૈયા, દસ હજાર રન બનાવવાના વચનનું શું થયું?
पूज्य महाराज जी के चरणों में कोटि-कोटि प्रणाम! एक कोहली फैन के रूप में अनुरोध है, महाराज जी से कृपया विराट को देश के लिए और अधिक क्रिकेट खेलने के लिए प्रेरित करें! #ViratKohli𓃵 #Cricket #MaharajJi
— 𝚁𝚊𝚞𝚜𝚑𝚊𝚗 𝙹𝚑𝚊 (@RaushanTwweets) May 13, 2025
એક યુઝરે લખ્યું, જ્યારે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ત્યારે એવું લાગ્યું કે મારી ક્રિકેટ સ્ટોરીનું સૌથી સુંદર ચેપ્ટર સમાપ્ત થઈ ગયું છે. મેં તેને તે દિવસથી જોયો છે જ્યારે તેણે પહેલીવાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી. તેની આંખોમાં તે આગ, તેની છાતીમાં જુસ્સો અને દરેક રન માટે લડવાનો ઉત્સાહ.
Virat Kohli & Anushka Sharma से पूज्य महाराज जी की क्या वार्तालाप हुई ? Bhajan Marg pic.twitter.com/7IWWjIfJHB
— Bhajan Marg (@RadhaKeliKunj) May 13, 2025
વિરાટ કોહલીએ 12 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી લગભગ 14 વર્ષ લાંબી રહી છે. આ સમયગાળા દરમિયાન, તેમણે 123 ટેસ્ટ મેચની 210 ઇનિંગ્સમાં 30 સદી અને 31 અડધી સદી સાથે 9230 રન બનાવ્યા. 36 વર્ષીય વિરાટે છેલ્લે આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટ રમ્યો હતો. જ્યાં ટીમ ઈન્ડિયાને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT