બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / એવું તે શું થયું? કે કોહલીને ટેસ્ટમાંથી સંન્યાસ લેવાનો વિચાર આવ્યો, જાણો આ છે અસલી કારણ
Last Updated: 10:16 AM, 10 May 2025
અત્યારના સમયમાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ છે, ત્યારે ભારતીય ક્રિકેટમાં પણ અનેક બદલાવ આવી રહ્યા છે. 7 મે, ૨૦૨૫ના રોજ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના માત્ર બે દિવસ પછી, 10 મેના રોજ, વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કરી લીધું હોવાના સમાચાર છે. તેણે BCCIને પણ આ અંગે જાણ કરી દીધી છે. આ નિર્ણય ચાહકો માટે આશ્ચર્યજનક છે, કારણ કે ભારતને આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવું છે અને કોઈએ ધાર્યું નહોતું કે વિરાટ પણ આ સમયે ટેસ્ટ ક્રિકેટ છોડી દેશે.
ADVERTISEMENT
વિરાટ કોહલીનું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું મુખ્ય કારણ વર્કલોડ મેનેજમેન્ટ છે. તેણે પહેલાથી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તે પોતાનું સમગ્ર ધ્યાન 2027માં યોજાનાર ODI વર્લ્ડ કપ પર કેન્દ્રિત કરવા માંગે છે. 2023ના ODI વર્લ્ડ કપમાં ભારત ફાઇનલ સુધી પહોંચી ગયું હતું, પરંતુ ટ્રોફી જીતવામાં નિષ્ફળ ગયું હતું. વિરાટ હવે પોતાની કારકિર્દીનું સૌથી મોટું સપનું વર્લ્ડ કપ જીતવાનું પૂર્ણ કરવા ઈચ્છે છે. તે હવે માત્ર એક જ ફોર્મેટ, એટલે કે ODI, પર ધ્યાન કેન્દ્રિત કરશે જેથી તેની ફિટનેસ અને ઊર્જા જળવાઈ રહે.
ADVERTISEMENT
તેથી, ટેસ્ટ ક્રિકેટ જે શારીરિક રીતે ખૂબ જ ખરાબ છે અને લાંબી મૅચોમાં સતત ઊર્જા જાળવી રાખવી પડે છે, એમાંથી વિરાટ હવે દૂર રહેવાનું નક્કી કર્યું છે. તેઓ હાલ 36 વર્ષના છે અને આગામી 3 વર્ષ ODI વર્લ્ડ કપ માટેની તૈયારીમાં પસાર કરવાના છે. IPLમાં વિરાટે તાજેતરમાં ઘણાં રન બનાવ્યાં છે અને મર્યાદિત ઓવરના ફોર્મેટમાં તેમનો ફોર્મ ખૂબ સરસ છે. પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં છેલ્લા કેટલાક વર્ષથી તેમનું પ્રદર્શન ઊંચા સ્તરનું રહ્યું નથી. 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે સદી ફટકાર્યા પછી, તેઓ સતત 15 ઇનિંગ્સમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
ભારત માટે દક્ષિણ આફ્રિકા એક ખાસ જગ્યાએ રહી છે. ભારતે 2007નો પહેલો T20 વર્લ્ડ કપ અને 2024માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં બીજો T20 વર્લ્ડ કપ પણ દક્ષિણ આફ્રિકાની જમીન પર જ જીત્યો છે. હવે 2027માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા ODI વર્લ્ડ કપનું આયોજન કરશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેનો લક્ષ્ય છે કે તેઓ છેલ્લી વાર ICC ટ્રોફી જીતીને ક્રિકેટને અલવિદા કહે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.