બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / સનરાઇઝર્સ હૈદરાબાદ આ રીતે પ્લેઓફમાં પહોંચી શકે, સમજો સમીકરણ

IPL 2025 / સનરાઇઝર્સ હૈદરાબાદ આ રીતે પ્લેઓફમાં પહોંચી શકે, સમજો સમીકરણ

Last Updated: 10:45 AM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનરાઈઝર્સ હૈદરાબાદ અત્યાર સુધી IPL 2025માં પોતાની 8માંથી 6 મેચ હારી ચૂકી છે. SRHને નોકઆઉટમાં પહોંચવા માટે હવે બાકી તમામ મેચ જીતવી પડશે. છતાં પણ, ટીમને પ્લે ઑફ માટેની ટિકિટ મળી શકે છે.આવો જાણી લઈએ કે તે કેવી રીતે શક્ય છે?

પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદે બુધવારે, 23 એપ્રિલની રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાની 6ઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો. આ હાર પછી ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સથી ઉપર, 9મા નંબરે છે. ગયા સીઝનની રનરઅપ રહેલી SRH માટે આ સીઝન નિરાશાજનક રહ્યો છે, તેમ છતાં તેમના ખેલાડીઓએ હજી હાર માનવાની જરૂર નથી કારણ કે હૈદરાબાદ પાસે હજી પણ IPL 2025ના પ્લે ઑફમાં પહોંચવાનો મોકો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદે અત્યાર સુધી રમેલી 8 મેચોમાંથી માત્ર 2 જીતેલ છે, તેમ છતાં ટીમ પ્લે ઑફની ટિકિટ મેળવી શકે છે. આવો જાણી લઈએ કે એ કેવી રીતે શક્ય છે?

સનરાઈઝર્સ હૈદરાબાદનો પ્લે ઑફ સમીકરણ

પેટ કમિન્સની ટીમ SRHને IPL 2025માં હજી 6 મેચ રમવાની બાકી છે. જો ટીમ બાકીની તમામ 6 મેચ જીતી જાય તો તે 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જે પ્લે ઑફમાં પ્રવેશ માટેનો જાદૂઈ આંકડો ગણાય છે. ઘણા લોકો જાણે છે કે 16 પોઈન્ટ મળવાથી ટીમ પ્લે ઑફમાં પહોંચી જાય છે, અને કેટલાક કિસ્સાઓમાં 14 પોઈન્ટ મળવાથી પણ ટીમ આગળ વધે છે. ગયા સીઝનમાં આ કરતબ રોયલ ચેલેન્જર્સબેંગલોરએ બતાવ્યો હતો.

જોકે, SRHનું ધ્યાન 14 નહીં પણ સીધું 16 પોઈન્ટ પર હશે. પરંતુ એ માટે તેમને સંપૂર્ણ કોશિશ કરવી પડશે. હૈદરાબાદ હવે અહીંથી એકપણ હાર સહન કરી શકતી નથી. જો ટીમ માત્ર 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, તો પછી તેમને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે બીજાં ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. SRHનો નેટ રન રેટ -1.361 છે, જે આગળ જઈને મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે ટીમે તેનો પણ સુધારો કરવાનો પ્રયાસ કરવો પડશે.

SRH સામે MIની મેચ કેવી રહી?

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદે માત્ર 13 રન પર જ પોતાના 4 વિકેટ ગુમાવી દીધા હતા. 35 રન પર તો અડધી ટીમ પેવિલિયનમાં પહોંચી ગઈ હતી. ત્યારે અભિનવ મનોહર અને હેનરિક ક્લાસેન વચ્ચે 99 રનની ભાગીદારીથી ટીમ 143 રનના સ્કોર સુધી પહોંચી શકી.

વધુ વાંચો: આજે ક્રિકેટના ભગવાનનો 52મો જન્મદિવસ, જાણો સચિનના જીવન સાથે જોડાયેલા 52 રસપ્રદ તથ્યો

જોકે, બોલરોએ આ સ્કોરને ડિફેન્ડ કરી શક્યા નહોતા અને રોહિત શર્માની ધમાકેદાર 70 રનની ઇનિંગના આધારે મુંબઈ ઈન્ડિયન્સે આ લક્ષ્યાંક 15.4 ઓવરમાં જ 7 વિકેટથી હાંસલ કરી લીધો. આ જીત પછી મુંબઈ ઈન્ડિયન્સ પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SRH IPL 2025 MI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ