બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPLના સટ્ટા પર દાવ લગાવનારા સાવધાન! પોલીસ ઘરે આવીને ઉઠાવી જશે, ખાવી પડશે જેલની હવા
Last Updated: 05:26 PM, 17 April 2025
તમને ખ્યાલ જ હશે કે ભારતમાં સટ્ટો અને જુગાર રમવા પર સખત અને સંપૂર્ણપણે પ્રતિબંધ છે, પરંતુ તેમ છતાં લોકો ક્રિકેટ પર સટ્ટો લગાવે છે. સટ્ટો લગાવીને લોકો શોર્ટકટ દ્વારા કરોડપતિ બનવાનો પ્રયાસ કરે છે. આજકાલ IPL મેચો ચાલી રહી છે અને લાખો લોકો સટ્ટો લગાવીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. પણ શું તમે જાણો છો કે સટ્ટો લગાવવા બદલ તમને સજા થઈ શકે છે?
ADVERTISEMENT
આઈપીએલમાં સટ્ટો લાઈનો પર લગાવવામાં આવે છે. લાઇન નંબર નાના શહેરોમાં બેઠેલા બુકીઓ પાસે છે. બુકીઓ જ લોકોને જુગાર રમાડાવે છે. મેચ શરૂ થતાંની સાથે જ દરેક બોલની કિંમત નક્કી થઈ જાય છે. મજબૂત અને નબળી ટીમોના આધારે કિંમત નક્કી કરવામાં આવે છે. આ દરના આધારે પ્રતિ ઓવર અને પ્રતિ બોલ પર સટ્ટો લગાવવામાં આવે છે. જો કે IPLમાં સટ્ટાબાજી કરતી વખતે કોઈ રોકડ વ્યવહાર થતો નથી. સમગ્ર સટ્ટો ફોન પર બેસીને થાય છે. મોબાઈલ વોલેટ અને ખાતા દ્વારા પૈસા એકબીજાને ટ્રાન્સફર થાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : KKRના સ્ટાર ખેલાડીનું બેટ ટેસ્ટમાં ફેલ, ચાલુ મેચમાં અમ્પાયરે કરી મોટી કાર્યવાહી
ભારતમાં સટ્ટાબાજી વિરુદ્ધ કાયદો કડક છે. જો સરકારની પરવાનગી વિના સટ્ટો રમાય છે, તો IPC 1860 ની કલમ 294 (a) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ કાયદા હેઠળ પોલીસને આવા લોકોની ધરપકડ કરવાનો, તેમની સામે કેસ દાખલ કરવાનો અને સજા માટે કોર્ટમાં રજૂ કરવાનો અધિકાર છે. કેન્દ્રીય કાયદા જાહેર જુગાર અધિનિયમ 1867 હેઠળ, જો કોઈ વ્યક્તિ જુગાર રમતા પકડાય છે, તો પોલીસ તાત્કાલિક તેની ધરપકડ કરે છે. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને જુગારના ગુના માટે 200 રૂપિયા દંડ અથવા ત્રણ મહિનાની કેદની જોગવાઈ છે. ઘણી વખત સજા અને દંડ બંને હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.