બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL પછી હવે આ મોટી ટુર્નામેન્ટ પણ કેન્સલ, પાકિસ્તાનની સાથે આ દેશોને પણ નુકસાન
Last Updated: 04:31 PM, 9 May 2025
Sports News: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે IPL 2025 સ્થગિત કરી દેવામાં આવી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આ નિર્ણય પછી, વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL પછી, હવે આ વર્ષનો એશિયા કપ પણ રદ કરી દેવામાં આવ્યો છે. 2026 ના T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં આયોજિત થવાની હતી. પરંતુ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, આ વર્ષે ટુર્નામેન્ટ ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ ભારે નુકસાન થવાનું છે.
ADVERTISEMENT
🚨 NO ASIA CUP THIS YEAR 🚨
— Johns. (@CricCrazyJohns) May 9, 2025
- The remaining leg of IPL could be played during that time period. [Sports Tak] pic.twitter.com/eCwVxfynvO
પાકિસ્તાન-બાંગ્લાદેશના ખિસ્સા કાપ્યા
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે મિસાઇલો અને ડ્રોન દ્વારા હુમલા સતત વધી રહ્યા છે. આની અસર ક્રિકેટ પર પડી છે. અહેવાલ અનુસાર, એશિયા કપ 2025 રદ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે આ ટુર્નામેન્ટ રમાશે નહીં. જોકે, તેની ભારત પર કોઈ અસર થવાની નથી, પરંતુ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય ટીમો પર તેની ઊંડી અસર પડશે. ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશને ભારે નુકસાન થવાનું છે.
TATA IPL 2025 suspended for one week.
— IndianPremierLeague (@IPL) May 9, 2025
More details here 👇👇 | #TATAIPL
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ થોડા સમય પહેલા ખુલાસો કર્યો હતો કે BCCI ક્યારેય એશિયા કપની કમાણીમાંથી પોતાનો હિસ્સો લેતું નથી. તે પોતાનો હિસ્સો ક્રિકેટના વિકાસની જરૂર હોય તેવા દેશોને આપી દે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં રમીને જ ફક્ત પોતાને તૈયાર કરે છે. આનો અર્થ એ થયો કે ટુર્નામેન્ટ રદ થવા છતાં, BCCI ને કોઈ મોટું નુકસાન થવાનું નથી.
પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ માટે આવકનો આ એક મોટો સ્ત્રોત છે. ત્યારે આ નિર્ણયથી તેમના ખિસ્સા કપાઈ જશે અને કરોડો રૂપિયા કમાવવાથી ચૂકી જશે. આ ઉપરાંત, ટુર્નામેન્ટમાં ભાગ લેતી અન્ય ટીમોની કમાણી પર પણ અસર પડશે. જણાવી દઈએ કે આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન ભારતના હાથમાં જ હતું.
આ પણ વાંચો: IPLના ચાહકો માટે મોટા સમાચાર, આ તારીખથી ફરી શરૂ થશે મેચ, જાણો ડિટેઈલ
એશિયા કપને બદલે આઈપીએલ
IPL 2025નો બીજો તબક્કો એશિયા કપના શેડ્યુલ દરમિયાન રમાઈ શકે છે. રિપોર્ટ અનુસાર, જો એશિયા કપ 2025 ન થાય તો BCCI આ સમયગાળા દરમિયાન IPLની બાકીની મેચોનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે. આ સિઝનમાં 74 માંથી 57 મેચ રમાઈ ચૂકી છે, જ્યારે 58મી મેચને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. હવે BCCI આ વિન્ડોમાં દિલ્હી અને પંજાબ સહિત ટુર્નામેન્ટની બાકીની 17 મેચોનું આયોજન કરી શકે છે, જેમાં બે ક્વોલિફાયર, એક એલિમિનેટર અને ફાઇનલનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.