બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / IPLની બાકી મેચો માટે નવો નિયમ લાગુ, ભારત-પાક તણાવ વચ્ચે BCCIનો મોટો નિર્ણય
Last Updated: 07:50 PM, 14 May 2025
શનિવારથી ફરી શરૂ થશે IPL સિઝન
ADVERTISEMENT
આઈપીએલ સીઝન હવે ફરીથી શનિવાર, 17 મે થી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવના કારણે મેચ અટકાવી દેવામાં આવી હતી. નવી તારીખો આવી ગઈ છે, પણ કેટલીક ટીમોના ખેલાડીઓના શેડ્યૂલ સાથે ટકરાવ થતાં કેટલાક ખેલાડીઓએ ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. જેમ કે દિલ્હી કેપિટલ્સના જેક ફ્રેઝર મેકગર્ક અને ચેન્નાઈ સુપર કિંગ્સના જેમી ઓવરટોન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
IPL માં આવ્યો રિપ્લેસમેન્ટનો નવો નિયમ
ADVERTISEMENT
હાલ સુધીના નિયમ મુજબ, કોઈ ખેલાડી બીમાર થાય કે ઇજાગ્રસ્ત થાય ત્યારે જ ટીમ રિપ્લેસમેન્ટ લઈ શકતી હતી – એ પણ સીઝનના 12મા મેચ સુધી. પણ હવે આ નિયમમાં ફેરફાર થયો છે. હવે લીગના બાકી રહેલા તમામ મેચમાં ટીમો ટેમ્પરેરી રિપ્લેસમેન્ટ લઈ શકે છે.
સાથે જ IPLએ સ્પષ્ટ કર્યું છે કે જે પણ ખેલાડીઓ લીગના સસ્પેન્શન પછી ટેમ્પરેરી રીતે ટીમમાં સામેલ થશે, તેમને આગામી સિઝનમાં રિટેન નહિ કરી શકાય. આવા ખેલાડીઓને IPL 2026માં ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડશે.
નિયમ લાગુ કરવાનું કારણ
IPLમાં આ નિયમ તે કારણે લાવવામાં આવ્યો છે કે કોઈ ટીમ નિલામીની પ્રક્રિયાને ટાળવા માટે જુસ્સાપૂર્વક ટેમ્પરેરી ખેલાડીઓને લાંબા ગાળે રાખી ન શકે.
લીગ ઓફિશિયલ નોટમાં દરેક ફ્રેન્ચાઇઝીઓને કહ્યું છે કે તેમણે રિપ્લેસમેન્ટના નિયમોની પુનઃ સમીક્ષા કરી છે. જો કોઈ વિદેશી ખેલાડી પોતાની રાષ્ટ્રીય ટીમની જવાબદારી, વ્યક્તિગત કારણો કે ઇજા અથવા બીમારીના કારણે ઉપલબ્ધ ન હોય, તો ટીમ ટૂર્નામેન્ટના બાકીના મેચ માટે ટેમ્પરેરી રિપ્લેસમેન્ટ લઈ શકે છે. પણ શરત એવી છે કે આવા ખેલાડીઓને હવે રિટેન નહિ કરી શકાય.
Mustafizur Rahman is back in 💙❤️ after two years!
— Delhi Capitals (@DelhiCapitals) May 14, 2025
He replaces Jake Fraser-McGurk who is unavailable for the rest of the season. pic.twitter.com/gwJ1KHyTCH
વધુ વાંચો : ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ વિરાટ અને રોહિતના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ બદલાઈ જશે? જાણો પગાર ઘટશે કે નહીં
જેઓ રિટેન થઈ શકશે તે ખેલાડીઓ કોણ?
IPLએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે લીગના સસ્પેન્શન પહેલાં જે રિપ્લેસમેન્ટ સાઇન થયા છે, તેઓને રિટેન કરી શકાય છે. સસ્પેન્શનથી 48 કલાક પહેલાં ચાર ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે ટીમોએ સાઇન કર્યા હતા:
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT