બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કોહલીની નિવૃત્તિ પછી આ ખેલાડીનું ઇંગ્લેન્ડ પ્રવાસ જવાનું નક્કી! 18 મહિના પછી કરશે ટેસ્ટમાં વાપસી
Last Updated: 12:04 PM, 13 May 2025
ક્રિકેટ જગતના બે અનુભવ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરતા ચાહકોમાં થોડા નિરાશ જોવા મળી રહ્યા છે. ત્યારે ટીમ ઈન્ડિયાને આવતા મહિને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે, જ્યાં 20 જૂનથી 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. તો થોડા સમય પહેલા જ અશ્વિને પણ ટેસ્ટને અલવિદા કહ્યું હતું. તો હવે ક્રિકટ ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે કે , ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર, જે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતો. હવે તેને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમમાં સામેલ કરી શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઠાકુરે ઘરેલુ ક્રિકેટ અને આ સિઝનની IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે ઠાકુરે છેલ્લે 2023માં દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટ રમી હતી. રણજી ટ્રોફીમાં મુંબઈ માટે શાર્દુલ ઠાકુર શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંનો એક હતો સાથે તેણે મુંબઈ માટે રેડ-બોલ ટુર્નામેન્ટમાં 35 વિકેટ લીધી અને 505 રન બનાવ્યા છે. ઉપરાંત, IPLમાં પણ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે 9 મેચમાં 12 વિકેટ લીધી, અને ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.
એક અહેવાલ અનુસાર શાર્દુલ ઠાકુરના શાનદાર પ્રદર્શનને કારણે , લગભગ 18 મહિના પછી ટેસ્ટ ટીમમાં પાછા ફરવાની તક મળી શકે છે, જો વાત કરીએ ઇંગ્લેન્ડની પિચોની તો સામાન્ય રીતે સીમર બોલરોની તરફેણ કરે છે, તેથી ઠાકુર પાસે ફરીથી પોતાને સાબિત કરવાની સુવર્ણ તક છે. ઠાકુરે છેલ્લી વખત ઇંગ્લેન્ડમાં 2021 માં ટેસ્ટ મેચ રમી હતી. તેમણે ત્રણ ટેસ્ટમાં આઠ વિકેટ લીધી હતી અને 122 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : પંજાબ-દિલ્હી રદ થયેલી મેચ પર આવી ગયો નિર્ણય, BCCIએ આપ્યું મોટું અપડેટ
બીજી તરફ, શાર્દુલ ઠાકુરના મુંબઈના સાથી શ્રેયસ ઐયરના ટેસ્ટ ટીમમાં પાછા ફરવાની શક્યતા હજુ પણ ઘણી ઓછી દેખાઈ રહી છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને આ સિઝનમાં પંજાબ કિંગ્સ (PBKS) માટે IPLમાં પણ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. આમ છતાં, ટીમમાં પહેલેથી જ ઘણી પ્રતિભાઓ હાજર હોવાથી તેના માટે વાપસી કરવી મુશ્કેલ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT