હાલમાં ટીમ ઇન્ડિયા રાજકોટમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ મેચ રમી રહી છે. પૃથ્વી શૅાએ ડેબ્યૂ મેચમાં જ સેન્ચુરી ફટકારી હતી. પૃથ્વીને શિખર ધવનની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એશિયા કપમાં સૌથી વધુ રન બનાવવા છતા ધવનને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝમાંથી બહાર કરવામાં આવ્યો છે. ધવનને બહાર કરવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડીઓ વચ્ચે ખટરાગના સમાચાર છે. ધવનને બહાર કરવાનું કારણ અનુષ્કા અને તેની પત્ની આયશા વચ્ચે ઝઘડો થયો હોવાનું કહેવામાં આવે છે.
મહત્વપૂર્ણ છે કે કોહલી અને ધવનની જેમ અનુષ્કા અને આયશા પણ સારા મિત્ર છે પરંતુ કેટલાક દિવસથી આ બન્ને વચ્ચે ઝઘડો થયો છે જેને કારણે ધવનને ટીમની બહાર કરવામાં આવ્યો છે.
અનુષ્કા અને આયશા વચ્ચે થયો હતો ઝઘડો:
ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયાએ એશિયા કપમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું અને એશિયા કપનું ટાઇટલ સતત બીજી વખત પોતાના નામે કર્યો હતો.
તાજેતરમાં જ રોહિત શર્માએ વિરાટ કોહલીને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર અનફોલો કરી દીધો હતો. ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલીના વધતા કદને કારણે પરેશાની વધી રહી છે. અનુષ્કા શર્મા પણ ટીમ ઇન્ડિયા સાથે કેટલાક પ્રવાસમાં જોવા મળે છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં શિખર ધવનની પત્ની આયશા પણ સાથે હતી. અનુષ્કા અને આયશા સારી મિત્ર હતી પરંતુ ઇંગ્લેન્ડ સિરીઝમાં બન્ને વચ્ચે ઝઘડો થતા બન્ને વચ્ચે વાતચીત પણ બંધ થઇ ગઇ છે.
જોકે બીજી તરફ BCCIના અધિકારીઓ ખોટી અફવાહ કહી દીધી છે. BCCIના અધિકારીઓએ જ્યારે ખિલાડીઓને આ અંગે પૂછ્યુ ત્યારે તેમણે નારાજગીની વાત પણ કહી હતી જોકે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા આ મામલાને ઉકેલ લાવવા માટે કહ્યુ છે.