કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિેવેદન સામે આવ્યું છે, 'પરિપત્રની અવધી નક્કી કરવામાં આવશે તેમજ 31 માર્ચ 2023 સુધી ઠરાવો બહાર પાડવામા આવશે અને નવી જોગવાઈ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે'
કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિેવેદન
પરિપત્રની અવધી નક્કી કરવામાં આવશે: ઋષિકેશ પટેલ
'ધોરણ 1 પ્રવેશ બાબતે કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર નિર્ણય કરાશે'
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સકારાત્મક બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી છે. જે કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિેવેદન સામે આવ્યું છે. જેમાં ઉત્તરાયણ પર્વ પર કરુણા અભિયાન, વ્યાજખોર સહિતના મુદ્દાઓની માહિતી આપી તેમજ પરિપત્રના અવધિને લઈ મહત્વનો નિર્ણય પણ લીધો છે.
ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો
ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં પરિપત્રની અવધી નક્કી કરવામાં આવશે. 31 માર્ચ 2023 સુધી ઠરાવો બહાર પાડવામા આવશે અને નવી જોગવાઈ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. ક્યાં પરિપત્રની અવધિ વધારી છે તો તમને સમજાવીએ કે, સરકારના વિવિધ વિભાગો દ્વારા જે પરિપત્રો બહાર પાડવામાં આવતા હતા જેની કોઈ અવિધ ન હતી પરંતુ હવે નિર્ણય કરવામાં આવ્યો છે જે પરિપત્રોની અવધિ નક્કી કરાશે. નવી જોગવાઈ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે અને સામાન્ય જનતાના લોકોમા ઉદ્દભવતા પ્રશ્નો વેબસાઈટ પર મુકવામા આવશે.
ધોરણ 1 પ્રવેશ બાબતે નિવેદન
ધોરણ 1 પ્રવેશ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, ધોરણ 1મા પ્રવેશ બાબતનો મુદ્દો અમારી સમક્ષ આવ્યો છે અને કેન્દ્ર સરકારને આ બાબતે રજૂઆત કરી છે તેમજ કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર નિર્ણય કરવામાં આવશે.
'વ્યાજખોરી સંદર્ભે મેગા ડ્રાઈવ કરવામાં આવી રહી છે'
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તરાયણ દરમિયાન કરૂણા અભિયાન દ્વારા સારી કામગીરી જોવા મળી છે અને આ વર્ષે 865 પક્ષી નિદાન કેન્દ્રો દ્વારા પક્ષી બચાવવાના કામ કર્યું છે અને સેવાકાર્ય બિરદાવવા માટે રાજ્ય સરકાર પ્રમાણ પત્ર આપશે. મંત્રીએ જણાવ્યું કે, વ્યાજખોરી સંદર્ભે મેગા ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને બે સપ્તાહમા 1077 સામે ગુના દાખલ થયા છે તેમજ 17 તારીખ સુધી 1369 લોક દરબાર થયા છે.
'એગ્ઝામ વોરીયર પુસ્તક વિદ્યાર્થીઓ સુધી પોહોચાડાશે'
પ્રવક્તા મંત્રી જણાવ્યું કે, પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરેશાન હોય છે જેના માટે પીએમ મોદી એક અભિયાન ચલાવ્યું છે પરિક્ષા પે ચર્ચા. તેમણે કહ્યું કે, એગ્ઝામ વોરીયર પુસ્તક વિદ્યાર્થીઓ સુધી પોહોચાડવામા આવશે તેમજ નવી શિક્ષણ નીતિ ચર્ચામાં છે અને નવી શિક્ષણ નીતિ અમલમાં લાવવા ક્રમશ પગલા સરકાર લઈ રહી છે. સંકલિત કાર્ય યોજનાની જરૂર જણાય છે અને ગુજરાત એનઈપી માટે ટાસ્ક ફોર્સની રચના થઈ છે. વિદ્યાર્થીઓને પુન:અભ્યાસ માટે એડમિશન મળતો નથી જેમાં સરળતા લાવવા પ્રયાસ થયેલા છે