દિલ્હી મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ ડૉ.અનિલ બંસલે જણાવ્યું કે બોડીને બીમારીઓથી બચાવવામાં બરોળનું મહત્વનું યોગદાન હોય છે. આ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે.
આપણા બરોળમાં વ્હાઈટ બ્લડ સેલ્સનું નિર્માણ થાય છે
બરોળને હેલ્ધી રાખવા માટે યોગ્ય ડાયેટ લેવી જરૂરી
જાણો બિમારીઓને કઈ રીતે રાખશો દૂર
જો તમને પુછવામાં આવે કે શરીરનું કયુ કયુ અંગ આપણને બીમારીઓમાંથી બચાવે છે તો કદાચ તમને ખબર નહીં હોય. આપણે મોટાભાગે સાંભળ્યું છે કે શરીરની ઈમ્યુન સિસ્ટમ આપણા શરીરનું કવચ છે. જે બીમારીઓથી લડે છે. ઈમ્યુન સિસ્ટનમને મજબૂત કરવામાં શરીરના દરેક અંગોનું યોગદાન હોય છે. પરંતુ એક એવું ઓર્ગન પણ છે. જે ઈમ્યુન સિસ્ટમમાં જીવ આપવાનું કામ કરે છે.
આ અંગ એન્ટીબોડી બનાવીને ઈન્ફેક્શનથી બચાવે છે. આ ઓર્ગનને સ્પ્લીન કહેવામાં આવે છે. આપણે તેને બરોળ કહીએ છીએ. જો તમે બરોળને હેલ્ધી રાખશો તો લાઈફ સાઈમ તમારૂ ઈમ્યુન સિસ્ટમ મજબૂત રહી શકે છે અને તમે નિરોગી જીવન જીવી શકો છો.
શું કામ કરે છે બરોળ?
દિલ્હી મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ ડૉ.અનિલ બંસલે જણાવ્યું કે બોડીને બીમારીઓથી બચાવવામાં બરોળનું મહત્વનું યોગદાન હોય છે. આ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. આ ઓર્ગન આપણી કિડનીમાંથી ઉપર લેફ્ટ સાઈડ હોય છે. તેનું મુખ્ય કામ બ્લડ ફિલ્ટર કરવાનું છે. વ્હાઈટ બ્લડ સેલ્સનું નિર્માણ કરવું એન્ટીબોડી બનાવવાનું હોય છે.
આ આપણા લિમ્ફેટિક સિસ્ટમને કંટ્રોલ કરી શકે છે અને ઈમ્યુન સિસ્ટમને મજબૂતી આપે છે. તેને નેચરલ એન્ટીબાયોટિક માનવામાં આવે છે. કારણ કે તે આપણને ઈન્ફેક્શનથી બચાવે છે. બરોળ બ્લડને ફિલ્ટર કરીને સ્ટોર પણ કરે છે અને શરીરની ફંક્શનિંગને યોગ્ય રીતે બનાવી રાખવામાં ખૂબ જ કારગર છે.
બરોળમાં પણ હોઈ શકે છે ઈન્ફેક્શન
ડૉ. અનિલ બંસલ કહે છે કે આમ તો બરોળ આપણા શરીરને ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે પરંતુ ઘણી વખત બરોળમાં ઈન્ફેક્શન થઈ જાય છે. આવી કંડીશનમાં તેના પર સોજો આવી જાય છે અને હેલ્થ બગડી શકે છે.
મોટાભાગે તમને કિડનીની ઉપર લેફ્ટ સાઈડમાં દુખાવો, સોજો મહેસૂસ થાય અથવા સતત તાવ આવે તો તે બરોળમાં મુશ્કેલીનો સંકેત હોઈ શકે છે. એવામાં તમે બને તેટલું જલ્દી ફિઝીશિયનને મળીને તપાસ કરાવો.