ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારત પોતાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે થતી મેચથી શરૂ કરશે. પરંતુ આ અગાઉ ભારતીય ટીમ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે અત્યારે આઈપીએલમાં રમી રહેલા મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તીની ઈજા ફરી એક વખત સામે આવી છે.
ટી-20 વર્લ્ડ કપ 2021 પહેલાં ભારતીય ટીમ માટે માઠા સમાચાર
મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તીની ઈજા ફરી એક વખત સામે આવી
બોર્ડના સુત્રનો દાવો, વરૂણ ચક્રવર્તીને હજુ ઘુંટણમાં દુ:ખાવો થાય છે
વરૂણ ચક્રવર્તી હજુ અસ્વસ્થ
વરૂણ ચક્રવર્તીને આગામી ટી-20 વિશ્વ કપમાં ભારતનો મહત્વનો બોલર માનવામાં આવી રહ્યો છે. પરંતુ બીસીસીઆઈની મેડિકલ ટીમે જણાવ્યું કે, તામિલનાડુના આ સ્પિનરે ખૂબ મહેનત કરવી પડશે. તેના ઘુંટણ હજી સંપૂર્ણ રીતે સારા થયા નથી.
વરૂણ ચક્રવર્તીને હજુ ઘુંટણમાં દુ:ખાવો થાય છે
ભારતીય ટીમમાં 10 ઓક્ટોબરથી ફેરફાર થઇ શકે છે. પરંતુ ઘૂંટણની સમસ્યા હોવા છતાં વરૂણની બોલિંગને જોઈને તેમનુ રમવુ લગભગ નિશ્ચિત છે. બોર્ડના એક સુત્રએ કહ્યું, વરૂણના ઘુંટણની હાલત અત્યારે સારી નથી. તેમને દુ:ખાવો થાય છે. જો આ ટી-20 વિશ્વ કપ ના હોત તો ભારતીય ટીમનું મેનેજમેન્ટ કદાચ તેને રમાડવાનું જોખમ ના લેત. તેમણે કહ્યું, અત્યારે વરૂણ આરામ કરે તેની પર જ ટીમનુ ધ્યાન કેન્દ્રીત છે.