આજે અમે તમને એક એવા શાકભાજી વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદારૂપ સાબિત થાય છે. આ શાકભાજીમાં એટલી તાકાત છે કે થોડા દિવસ ખાવાથી શરીર ફોલાદી થઇ જાય છે. આ શાકભાજીને આપણે કંકોડા અથવા મીઠા કારેલા તરીકે પણ ઓળખીએ છીએ. ફાઈબર તથા અનેક તત્વોથી ભરપૂર કંકોડા ખાવાથી તમારું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રહી શકે છે.
કંકાડોમાં સ્વાદની સાથે સાથે પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે આ ખાવાથી તમારું શરીર શક્તિશાળી બને છે. કંકોડા માટે કહેવામાં આવે છે કે તેમાં મીટ કરતા પણ 50 ઘણું પ્રોટીન હોય છે જેનાથી શરીરમાં ફાઇટેકેમિકલ્સ વધે છે. કંકોડામાં ભરપૂર માત્રામાં એન્ટીઑક્સિડેન્ટ હોય છે જે શરીરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે.
કંકોડા મોટાભાગે વરસાદી સીઝનમાં માર્કેટમાં આવે છે. ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ હોવાને કારણે દુનિયાભરમાં તેની ખેતી થઈ રહી છે. ભારતના પર્વતીય વિસ્તારોમાં કંકોડાની ખેતી ભરપૂર માત્રામાં થાય છે.
મોટાભાગે લોકો અને ખાસ કરીને બાળકોને કંકોડા ભાવતા હોતા નથી કાંટાળાની સાથે સાથે તેના બીજના લીધે તે પસંદ નથી પણ વયસ્ક લોકોમાં તે અતિ લોકપ્રિય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોનું તે પ્રિય શાકભાજી છે.
ઘણા ડૉક્ટર્સ-ડાયેટિશિયન કંકોડા ખાવાની સલાહ આપતા રહે છે. હાઈ-બ્લડ પ્રેશર અશક્તિ હાઈ કૉલેસ્ટ્રોલ જેવી બીમારીઓથી પીડાતા લોકોએ શક્ય તેટલા વધુ પ્રમાણમાં કંકોડા ખાવા જોઈએ. કંકોડામાં રહેલું મોમોરડીસિન અને ફાઈબર શરીર માટે રામબાણ છે.
જો તમને કંકોડાનું શાક પસંદ ન હોય તો તેનું અથાણું પણ નાખી શકાય છે. આયુર્વેદમાં કંકોડાને ઘણી બીમારીઓના ઈલાજ માટે ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. કંકોડાના સેવનથી શરીરની પાચનક્રિયા સુધરે છે.
જાણીને આશ્ચર્ય થશે પણ કંકોડા કેન્સરને અટકાવવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત નેત્ર રોગ શરદી-ખાંસી મટાડવા અને વેઈટ લૉસ કરવામાં પણ ઉપયોગી છે.