મુંબઇ એરપોર્ટ પર સોમવારે મોટી દૂર્ઘટના ઘટતા રહી ગઇ. જ્યાં રન વે પર સ્પાઇ જેટની ફલાઇટ લેન્ડિંગ સમયે લપસી જવાની ઘટના બની છે. જો કે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
ભારે વરસાદના પગલે મુંબઇમાં રેલ અને વિમાન સેવાની આવન-જાવન પર પણ અસર જોવા મળી રહી છે. સ્પાઇસ જેટની ફલાઇટ 6237 મુંબઇ એરપોર્ટના મુખ્ય રન વે પર લપસી ગઇ હતી. આ ફલાઇટ જ્યારે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી ત્યારે આ ઘટના ઘટી.
જો કે ઘટના બાદ એરપોર્ટનો મુખ્ય રન વે બંધ કરી દેવામાં આવ્યો અને બીજા રન વે પર વિમાનનું આવન-જાવન શરૂ કરી દેવામાં આવ્યું. મુંબઈમાં હજુ પણ ભારે વરસાદનું જોર યથવાત છે ત્યારે મુંબઈ એરપોર્ટ પર અડધી રાતે એક ફ્લાઈટ રન વે પર લપસી જવાની ઘટના સામે આવી છે.
Mumbai Airport PRO: SpiceJet SG 6237 Jaipur-Mumbai flight overshot runway yesterday while landing at Mumbai Airport. All passengers are safe, no injuries reported. #Maharashtrapic.twitter.com/hEULogZHr4
જેમાં સ્પાઈસ જેટની ફ્લાઈટ 6237 જયપુર મુંબઈ એરપોર્ટના મુખ્ય રન વે પર લપસી પડતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ફ્લાઈટ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ છે. જોકે, દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પણ ત્રણ ચાર મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
આ દુર્ઘટના બાદ મુખ્ય રન વેને બંધ કરી દેવાયો છે અને અન્ય રન વેથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સ્પાઈસ જેટના પ્રવક્તાએ કહ્યું કે, આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ કે નુકસાન થયુ નથી. તમામ મુસાફરો પણ સુરક્ષિત છે. આ દુર્ઘટના બાદ મુંબઈ એરપોર્ટ પર વિમાની સેવાને અસર થઈ છે.