છેલ્લા ત્રણ મહિનામાં સ્પાઇસજેટના સાત વિમાનોમાં ઉડાન દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કર્યું.
છેલ્લા કેટલાક સમયથી સ્પાઈસ જેટના વિમાનમાં ખરાબીના કિસ્સા
વિમાનમાં થયેલી ખરાબી બાદ બુધવારે કંપનીના શેર પર તેની અસર
કંપનીના શેરે 52 સપ્તાહના નીચલા સ્તરને પણ તોડી નાખ્યો
કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ
5 જુલાઈએ દિલ્હીથી દુબઈ જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. થોડા કલાકો બાદ જ સ્પાઈસ જેટની એક ફ્લાઈટની વિન્ડશિલ્ડમાં 23,000 ફૂટની ઊંચાઈ પર હતી ત્યારે તેમાં તિરાડ પડી ગઈ હતી. જો કે પાયલટોએ મુંબઈ એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી સ્પાઈસ જેટના વિમાનમાં ખરાબીના કિસ્સા વધુ સામે આવ્યા છે. આ પહેલા સ્પાઈસ જેટની બે ફ્લાઈટનું એક જ દિવસમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
બુધવારે શેરમાં ઘટાડો જોવા મળ્યો
મંગળવારે સ્પાઇસ જેટના વિમાનમાં થયેલી ખરાબી બાદ બુધવારે કંપનીના શેર પર તેની અસર જોવ મળી રહી છે. આ સમાચાર બાદ શેર લગભગ 5 ટકા તૂટ્યો, શેર પણ 52 સપ્તાહના નીચલા સ્તરને પણ તોડી નાખ્યો હતો. હાલ આ શેર લગભગ 1.5 ટકાના ઘટાડા સાથે 37.20 રૂપિયા પર ટ્રેડિંગ કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં સ્પાઇસ જેટના શેરમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.
મુંબઈમાં ઉતરાણ
5 જુલાઇના રોજ સ્પાઇસ જેટ Q400 (SG 3324) ગુજરાતના કંડલાથી મુંબઇ જઇ રહી હતી. આ સમય દરમિયાન સામાન્યથી વધુ દબાણને કારણે વિમાનની બહારની બારીના કાચ તૂટી ગયો હતો. જોકે પાયલટોએ વિમાનને મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું. તો બીજી તરફ કરાચીમાં ઉતરેલા વિમાને સવારે 8 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી હતી. સવારે 9:50 વાગ્યે વિમાન દુબઈમાં ઉતરવાનું હતું. પરંતુ ટેકઓફ બાદ તરત જ ફ્યુઅલ ઇન્ડિકેશનમાં ખામી સર્જાતા ફ્લાઇટને કરાચીમાં ઉતરવું પડ્યું હતું. કરાચીમાં સ્પાઇસ જેટ વિમાનના લેન્ડિંગ બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ જણાવ્યું હતું કે સ્પાઇસ જેટ વિમાનના ક્રૂને ઇંધણ ટેન્કનું સૂચક ઇંધણનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું હોવાનું દર્શાવી રહ્યું છે. આ કારણે ફ્લાઈટને કરાંચીમાં ઉતરવી પડી હતી.
વિમાનમાં ધુમાડો
સ્પાઇસ જેટના વિમાનમાં સતત ખરાબી થઇ રહી છે. ઉડતી વખતે કોઈની તબિયત લથડી રહી છે. વાદળોની ઉપર ઉડતી વખતે કોઈકને ગડબડી પકડમાં આવી રહી છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં સ્પાઇસ જેટના સાત વિમાનોમાં ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઇ હોવાના અહેવાલ મળ્યા છે. થોડા દિવસ પહેલા જ 2 જુલાઈએ જબલપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઉડાન દરમિયાન વિમાનની કેબિનમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ દરમિયાન ફ્લાઇટ 5000 ફૂટની ઉંચાઇ પર હતી. જોકે, વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
એક જ દિવસમાં બે ઈમરજન્સી લેન્ડિંગ
19 જૂને સ્પાઈસ જેટના બે વિમાનોએ એક જ દિવસમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. 185થી વધુ મુસાફરોને લઇને જઇ રહેલી દિલ્હી જઇ રહેલી ફ્લાઇટમાં તે દિવસે પટના એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ તરત જ આગ લાગી ગઇ હતી, ત્યારબાદ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એરલાઇને સ્પષ્ટતામાં કહ્યું હતું કે એન્જિન પંખા સાથે પક્ષીની ટક્કરને કારણે બ્લેડ્સને નુકસાન થયું હતું. 19 જૂને બનેલી અન્ય એક ઘટનામાં જબલપુર જતી ફ્લાઈટને કેબિનમાં દબાણની સમસ્યાના કારણે દિલ્હી પરત ફરવું પડ્યું હતું. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 પર વિમાનનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 82 મુસાફરો સવાર હતા.
ફ્લાઈટ કેન્સલેશનના મામલે સ્પાઈસ જેટ બીજા નંબરે
25 જૂને પટના એરપોર્ટથી ગુવાહાટી માટે ઉડાન ભરવાના હતા તે સ્પાઈસ જેટ વિમાનને તેમાં ખામી સર્જાતા તેને ઉતારવું પડ્યું હતું. આ પહેલા 24 જૂને સ્પાઈસ જેટની Q400 ફ્લાઈટને કોલકાતાથી ગુવાહાટી ડાયવર્ટ કરવી પડી હતી, જયારે રોટેશન પર ટેક-ઓફ ચાલી રહ્યું હતું. આ સમય દરમિયાન ફ્યુઝલેજ વોર્નિંગ લાઇટ થવા લાગી હતી, જે બાદ પાયલટોએ વિમાનને ગુવાહાટી એરપોર્ટ પર પરત ઉતાર્યું હતું. DGCAના રિપોર્ટ મુજબ મે મહિનામાં ફ્લાઈટ કેન્સલેશનના મામલે સ્પાઈસ જેટ બીજા નંબર પર રહી હતી.