મુંબઈથી ગોરખપુર જતી ફ્લાઈટના કાચ તૂટેલા જોવા મળ્યા
ફ્લાાઈટને તાત્કાલિક મુંબઈ લેંડ કરવામાં આવી
સ્પાઈસજેટના પ્રવક્તાએ કહી આ વાત
સ્પાઈસજેટના બોઈંગ 737 વિમાન SG-385ના વિંડશીલ્ડના બહારના કાચ તૂટવાના કારણે મુંબઈથી ગોરખપુર જતી ફ્લાઈને મુંબઈમાં જ ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું હતુ. સ્પાઈસજેટના પ્રવક્તાએ આ વાતની સમગ્ર જાણકારી આપી હતી. હકીકતમાં જોઈએ તો, આ દરમિયાન ક્રૂ દરમિયાન વિંડશીલ્ડનો બહારનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. ત્યાર બાદ પીઆઈસીએ પાછા મુંબઈ ફરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, તેના વિશે એટીસીને જાણ કરવામાં આવી હતી અને વિમાન સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર લેંડ કરાવ્યું હતું.
સ્પાઇસજેટ પર રેન્સમવેર એટેક, ફ્લાઇટ ઓપરેશનમાં મોડુ થયું
બુધવારે (25 મે), એરલાઇન સ્પાઇસજેટની કેટલીક સિસ્ટમ્સ પર રેન્સમવેર એટેકને કારણે તેની કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી અને કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. સ્પાઈસજેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મંગળવારે રાત્રે સ્પાઈસજેટની કેટલીક સિસ્ટમો પર રેન્સમવેર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ હતી. નિવેદનમાં જણાવાયું છે કે કંપનીની IT ટીમે સ્થિતિને ઘણી હદ સુધી નિયંત્રણમાં લાવી છે અને સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. કામને અસર થવાના કારણે ફ્લાઈટ મોડી પડી હતી. સ્પાઈસજેટે કહ્યું, 'એ એરપોર્ટ્સ માટે કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે જ્યાં રાત્રે ઓપરેશન પર પ્રતિબંધ છે. સ્પાઇસજેટ આ મુદ્દે નિષ્ણાતો અને સાયબર અધિકારીઓના સંપર્કમાં છે.
એપ્રિલમાં 1.08 કરોડ સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી
આ વર્ષે એપ્રિલ મહિનામાં લગભગ 1.08 કરોડ મુસાફરોએ દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દ્વારા મુસાફરી કરી હતી. આ આંકડો માર્ચની સરખામણીએ બે ટકા વધુ છે. ત્યારબાદ 1.06 કરોડ સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે તેના માસિક નિવેદનમાં જણાવ્યું હતું કે, એપ્રિલમાં તમામ એરલાઇન્સમાં સીટ ભરવાનો દર 78 ટકાથી વધુ હતો. DGCA ડેટા અનુસાર, સ્પાઈસજેટ, ઈન્ડિગો, વિસ્તારા, ગોફર્સ્ટ, એર ઈન્ડિયા અને એરએશિયા ઈન્ડિયા માટે સીટનો બુકિંગ દર અનુક્રમે 85.9 ટકા, 78.7 ટકા, 82.9 ટકા, 80.3 ટકા, 79.5 ટકા અને 79.6 ટકા હતો. નોંધપાત્ર રીતે, કોવિડ -19 રોગચાળાને કારણે, ઉડ્ડયન ક્ષેત્ર છેલ્લા બે વર્ષમાં મુસાફરી પ્રતિબંધોથી ફટકો પડ્યો છે.